Western Railwayએ રદ કરી મુંબઈ-ગુજરાત રુટની અનેક ટ્રેન: ઘોલવડ-ઉમરગામ વચ્ચે ભયજનક સપાટીએ પહોંચ્યું પાણી

23 July, 2026 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Western Railway: ઉમરગામ-ઘોલવડમાં ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે ઘણી લોન્ગ ડિસ્ટન્સની ઉપનગરીય અને પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે તો કેટલીકને શોર્ટ-ટર્મિનેટ અને ડાયવર્ટ કરવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

આજે ગુરુવારે સતત વરસાદને કારણે ઘોલવડ અને ઉમરગામ રોડ વચ્ચેના ટ્રેક પર પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ જ કારણોસર વેસ્ટર્ન રેલવે (Western Railway)ને ટ્રેન સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. જેથી કેટલીક ટ્રેનની અવરજવર સ્થગિત કરી દેવાઈ છે.

વેસ્ટર્ન રેલવે (Western Railway)ના જણાવ્યા અનુસાર ઉમરગામ-ઘોલવડમાં પાણી ભરાઈ જવાને કારણે ઘણી લોન્ગ ડિસ્ટન્સની ઉપનગરીય અને પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે તો કેટલીકને શોર્ટ-ટર્મિનેટ અને ડાયવર્ટ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનો રી-શેડ્યૂલ કરવામાં આવી છે.

અનેક ટ્રેનો રદ: જાણી લો લિસ્ટ 

૨૩ જુલાઈ માટે રદ કરવામાં આવેલી મુખ્ય ટ્રેનો આ પ્રમાણે છે:

22953- મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ 
22975- બાંદરા ટર્મિનસ-રામનગર એક્સપ્રેસ 
20901- મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ 
12009- મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ 
69139૦- બોરીવલી-વલસાડ મેમૂ 
09055- બાંદરા ટર્મિનસ- ઉધના સ્પેશિયલ 
59045- મુંબઈ સેન્ટ્રલ-વાપી પેસેન્જર 
12935- બાંદરા ટર્મિનસ-સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ 
59039- વિરાર-વલસાડ પેસેન્જર 
69172 ભરૂચ-સુરત 
22930/22929- વડોદરા-દહાણુ રોડ-વડોદરા (સંપૂર્ણપણે રદ)


વરસાદને કારણે પડેલ વિક્ષેપને લીધે અમુક ટ્રેનો (Western Railway) પણ શોર્ટ-ટર્મિનેટ કરાઇ છે, જે આ પ્રમાણે છે:

12922- સુરત-મુંબઈ સેન્ટ્રલ ફ્લાઇંગ રાનીને ઉધના ખાતે શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી છે, જેમાં ઉધના અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની સેવાઓ રદ કરવામાં આવી છે.

59024- વલસાડ-મુંબઈ સેન્ટ્રલ પેસેન્જરને પારડી ખાતે શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી છે અને પારડી અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની સેવાઓ રદ કરવામાં આવી છે.

19002- સુરત-વિરારને વલસાડ ખાતે ટૂંક સમય માટે બંધ કરવામાં આવી છે, જેમાં વલસાડ અને વિરાર વચ્ચેની સેવાઓ રદ કરવામાં આવી છે.

સબર્બ્સ સેવાઓ પણ ઓછી કરવામાં આવી છેઃ

93005- ચર્ચગેટ-દહાણુ રોડને વનગાંવ ખાતે શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી છે, જેમાં વનગાંવ અને દહાણુ રોડ વચ્ચેની સેવાઓ રદ કરવામાં આવી છે.

93010- દહાણુ રોડ-બોરીવલી વનગાંવથી શરૂ થશે અને દહાણુ રોડ અને વનગાંવ વચ્ચેની સેવાઓ રદ કરવામાં આવશે.

અમુક ટ્રેનોના રૂટ બદલાયા છે તો અન્ય ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

09323- ખડકી-ઈન્દોર એક્સપ્રેસને લોનાવાલા, કર્જત, પનવેલ, કલ્યાણ, ઇગતપુરી, જળગાંવ, પાલડી અને સુરત થઈને ડાયવર્ટ કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવેએ પણ બે ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કર્યો છેઃ

12922- સુરત-મુંબઈ સેન્ટ્રલ હવે સવારે 5:10ને બદલે સવારે 6 વાગ્યે ઊપડશે.
12935- બાંદ્રા ટર્મિનસ-સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ સવારે 6:35ને બદલે સવારે 7:35 વાગ્યે ઊપડશે.

પશ્ચિમ રેલવેએ મુસાફરોને તેમની મુસાફરી (Western Railway) શરૂ કરતાં પહેલાં ટ્રેનની સ્થિતિ ચેક કરવાની અને રેલવે સ્ટાફને સહકાર આપવાની સલાહ આપી છે.

mumbai news mumbai monsoon news mumbai monsoon mumbai trains mumbai local train western railway