23 July, 2026 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજે ગુરુવારે સતત વરસાદને કારણે ઘોલવડ અને ઉમરગામ રોડ વચ્ચેના ટ્રેક પર પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ જ કારણોસર વેસ્ટર્ન રેલવે (Western Railway)ને ટ્રેન સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. જેથી કેટલીક ટ્રેનની અવરજવર સ્થગિત કરી દેવાઈ છે.
વેસ્ટર્ન રેલવે (Western Railway)ના જણાવ્યા અનુસાર ઉમરગામ-ઘોલવડમાં પાણી ભરાઈ જવાને કારણે ઘણી લોન્ગ ડિસ્ટન્સની ઉપનગરીય અને પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે તો કેટલીકને શોર્ટ-ટર્મિનેટ અને ડાયવર્ટ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનો રી-શેડ્યૂલ કરવામાં આવી છે.
૨૩ જુલાઈ માટે રદ કરવામાં આવેલી મુખ્ય ટ્રેનો આ પ્રમાણે છે:
22953- મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ
22975- બાંદરા ટર્મિનસ-રામનગર એક્સપ્રેસ
20901- મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ
12009- મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ
69139૦- બોરીવલી-વલસાડ મેમૂ
09055- બાંદરા ટર્મિનસ- ઉધના સ્પેશિયલ
59045- મુંબઈ સેન્ટ્રલ-વાપી પેસેન્જર
12935- બાંદરા ટર્મિનસ-સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ
59039- વિરાર-વલસાડ પેસેન્જર
69172 ભરૂચ-સુરત
22930/22929- વડોદરા-દહાણુ રોડ-વડોદરા (સંપૂર્ણપણે રદ)
વરસાદને કારણે પડેલ વિક્ષેપને લીધે અમુક ટ્રેનો (Western Railway) પણ શોર્ટ-ટર્મિનેટ કરાઇ છે, જે આ પ્રમાણે છે:
12922- સુરત-મુંબઈ સેન્ટ્રલ ફ્લાઇંગ રાનીને ઉધના ખાતે શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી છે, જેમાં ઉધના અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની સેવાઓ રદ કરવામાં આવી છે.
59024- વલસાડ-મુંબઈ સેન્ટ્રલ પેસેન્જરને પારડી ખાતે શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી છે અને પારડી અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની સેવાઓ રદ કરવામાં આવી છે.
19002- સુરત-વિરારને વલસાડ ખાતે ટૂંક સમય માટે બંધ કરવામાં આવી છે, જેમાં વલસાડ અને વિરાર વચ્ચેની સેવાઓ રદ કરવામાં આવી છે.
93005- ચર્ચગેટ-દહાણુ રોડને વનગાંવ ખાતે શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી છે, જેમાં વનગાંવ અને દહાણુ રોડ વચ્ચેની સેવાઓ રદ કરવામાં આવી છે.
93010- દહાણુ રોડ-બોરીવલી વનગાંવથી શરૂ થશે અને દહાણુ રોડ અને વનગાંવ વચ્ચેની સેવાઓ રદ કરવામાં આવશે.
અમુક ટ્રેનોના રૂટ બદલાયા છે તો અન્ય ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
09323- ખડકી-ઈન્દોર એક્સપ્રેસને લોનાવાલા, કર્જત, પનવેલ, કલ્યાણ, ઇગતપુરી, જળગાંવ, પાલડી અને સુરત થઈને ડાયવર્ટ કરવામાં આવી છે.
12922- સુરત-મુંબઈ સેન્ટ્રલ હવે સવારે 5:10ને બદલે સવારે 6 વાગ્યે ઊપડશે.
12935- બાંદ્રા ટર્મિનસ-સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ સવારે 6:35ને બદલે સવારે 7:35 વાગ્યે ઊપડશે.
પશ્ચિમ રેલવેએ મુસાફરોને તેમની મુસાફરી (Western Railway) શરૂ કરતાં પહેલાં ટ્રેનની સ્થિતિ ચેક કરવાની અને રેલવે સ્ટાફને સહકાર આપવાની સલાહ આપી છે.