20 October, 2022 01:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજધાની મુંબઈ(Mumbai)ના મોટા બિલ્ડર પારસ પોરવાલે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિલ્ડરે બિલ્ડીંગના 23મા માળેથી છલાંગ લગાવી હતી, ત્યારબાદ તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
તે દક્ષિણ મુંબઈના ભાયખલામાં રહેતો હતો. તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે બિલ્ડર પારસ પોરવાલ દ્વારા લેવામાં આવેલા આત્યંતિક પગલા પાછળનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટના મધ્ય મુંબઈના કાલાચોકી વિસ્તારમાં સવારે બની હતી, જેના પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો:દિવાળી પહેલા મુંબઈને બોમ્બથી હચમચાવી નાખવાની ધમકી, પોલીસે ચક્રોગતિમાન કર્યા