શિંદે જૂથને ઝટકો: ઉદ્ધવ ઠાકરેને મળી શિવાજી પાર્કમાં દશેરાનો મેળો યોજવાની મંજૂરી

23 September, 2022 05:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુનાવણી દરમિયાન શિવસેના, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શિંદે જૂથે પોતપોતાનો પક્ષ રજૂ કર્યો

ફાઇલ તસવીર

શિંદે જૂથને મોટો ઝટકો લાગ્યો છે. બોમ્બે હાઈકોર્ટે શિવાજી પાર્કમાં દશેરાના મેળાવડાને મંજૂરી આપવાની શિંદે જૂથની અરજીને ફગાવી દીધી છે. તેથી સ્પષ્ટ છે કે શિંદે જૂથનો દશેરા મેળાવડો શિવાજી પાર્કમાં યોજાશે નહીં. જોકે ઉદ્ધવ થાકેરે જૂથની અરજી પર કોર્ટે સ્વીકારી છે. તેથી હવે શિવાજી પાર્કમાં દશેરા મેળાવડો ઉદ્ધવ ઠાકરે જ કરશે, તે સ્પષ્ટ છે.

શિવાજી પાર્કમાં કોણ કરશે દશેરાનો મેળાવડો? આ અંગે આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન શિવસેના, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શિંદે જૂથે પોતપોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટે શિવસેનાને દશેરા રેલી યોજવાની મંજૂરી આપી હતી.

દશેરાના મેળા મામલે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશને શિવસેના અને શિંદે જૂથને દશેરાના મેળાવડા માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યા પછી, શિવસેનાએ કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર આંગળી રાખીને બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો, જે બાદ શિંદે જૂથના ધારાસભ્ય સદા સરવણકરે પણ આર્બિટ્રેશન પિટિશન દાખલ કરી હતી.

શિવાજી પાર્ક સંબંધિત અરજી પર અરજદાર શિવસેના તરફથી એડવોકેટ અસ્પી ચિનોય હાજર રહ્યા હતા. પ્રતિવાદી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વકીલ મિલિંદ સાથી હાજર થયા હતા. જનક દ્વાકરદાસ, વકીલ, સદા સરવણકર માટે હાજર થયા, જે મધ્યસ્થી તરીકે આવ્યા હતા.

આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું નિશાન, આપી આ ચેલેન્જ

mumbai mumbai news uddhav thackeray shiv sena eknath shinde