વૈતરણા પર બ્રિજનું કામ કરવા ગયેલા કામદારોની બોટે મારી પલટી, ૧૮ને બચાવી લેવાયા

21 November, 2023 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોટ ગઈ કાલે સવારે ૬ વાગ્યે પલટી ખાઈ ગઈ હતી અને દુર્ઘટના સર્જાઈ હતી

પ્રતીકાત્મક તસવીર

વડોદરાથી નવી મુંબઈના જવાહરલાલ નેહરુ પોર્ટ ટર્સ્ટને જોડતા એક્સપ્રેસવે અંતર્ગત પાલઘરમાં વૈતરણા નદી પર બ્રિજ બનાવવાનું કામ ચાલુ છે. એ માટે કંપનીની ટગબોટમાં બેસી એ સ્પૉટ પર પહોંચી રહેલા કામદારોની બોટ ગઈ કાલે સવારે ૬ વાગ્યે પલટી ખાઈ ગઈ હતી અને દુર્ઘટના સર્જાઈ હતી.  

ઘટનાની જાણ પોલીસ, ફાયર-બ્રિગેડ અને જિલ્લા પ્રશાસનને કરવામાં આવતાં ફાયર-બ્રિગેડના જવાનો, પોલીસ-અધિકારીઓ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા. સ્થાનિક માછીમારોની મદદ લઈ ૧૮ જેટલા કામગારોને બચાવી લેવાયા હતા, જ્યારે બે કામગારોની શોધ ચલાવાઈ રહી હતી.  

versova palghar maharashtra mumbai mumbai news