25 July, 2025 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાપ પકડનારા સર્પમિત્ર
લોકોના જીવ બચાવવા પોતાના જીવ જોખમમાં મૂકીને સાપ પકડનારા સર્પમિત્રના કામની નોંધ લઈને હવે રાજ્ય સરકાર તેમને આઇડેન્ટિટી કાર્ડ આપશે એટલું જ નહીં, એ કામ જોખમી હોવાથી તેમને ૧૦ લાખ રૂપિયાનો વીમો આપવાનું પણ વિચારાઈ રહ્યું છે. સ્નેક-રેસ્ક્યુઅરને ઇન્શ્યૉરન્સનો લાભ મળે એ માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક સત્તાવાર અરજી મોકલવામાં આવશે એવું રાજ્યના રેવન્યુ મિનિસ્ટર ચંદ્રકાંત બાવનકુળેએ જણાવ્યું હતું.
સાપ પકડનારાઓના મહત્ત્વના કામને જોતાં હવે સ્નેક-રેસ્ક્યુઅરનો એેસેન્શિયલ સર્વિસિસમાં સમાવેશ કરીને તેમનો સમાવેશ ડિઝૅસ્ટર રિસ્પૉન્સમાં કરવાનું વિચારાઈ રહ્યું છે એમ કહેતાં ચંદ્રકાંત બાવનકુળેએ કહ્યું હતું કે ‘આ બાબતે કો-ઑર્ડિનેશન અને ટ્રાન્સપરન્સી વધારવા માટે સર્ટિફાઇડ સ્નેક-રેસ્ક્યુઅર, સર્પમિત્રની માહિતી ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર પણ મૂકવામાં આવશે જેને કારણે કટોકટીના સમયે સાપ દેખાયો હોય ત્યારે લોકો તરત જ તેમનો સંપર્ક કરીને તેમની મદદ લઈ શકશે જેને કારણે સાપને બચાવી શકાશે અને લોકોની જિંદગી પણ બચી શકશે.’