26 January, 2026 09:39 PM IST | Malegaon | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના માલેગાંવમાં 77 મા પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી, 2026 ના રોજ એક અકસ્માત થયો છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી માત્ર ૨૫૦ મીટર દૂર એક ફુગ્ગા વિક્રેતાનો નાઇટ્રોજન ગૅસ સિલિન્ડર ફાટતાં નવ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોમાં બે બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જિલ્લા કલેક્ટર, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો હાજર હતા. તે જ સમયે, પરેડ ગ્રાઉન્ડ નજીક એક ફુગ્ગા વિક્રેતા નાઇટ્રોજન ગૅસથી ફૂલેલા ફુગ્ગા વેચી રહ્યો હતો. બાળકો અને પરિવારો પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે ફુગ્ગા ખરીદવા માટે ત્યાં ભેગા થયા હતા. તે જ ક્ષણે, સિલિન્ડરમાં અચાનક બ્લાસ્ટ થયો. વિસ્ફોટનો અવાજ એટલો જોરથી સંભળાયો હતો કે તે દૂર દૂર સુધી સંભળાયો હતો, જેનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. શરૂઆતમાં, લોકો ગભરાઈ ગયા હતા, તેને આતંકવાદી ઘટના અથવા અન્ય કારણોસર જવાબદાર ગણાવી રહ્યા હતા, જેના કારણે અફવાઓ ફેલાઈ હતી.
પોલીસે અકસ્માતમાં નવ લોકો ઘાયલ થયાની જાણ કરી છે, જેમાં બે બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. ઘાયલોની ઓળખ વિનોદ થોરાટ, મોહિત જાધવ, અતુલ શેવાળે, પ્રમિલા યાદવ અને ઉજ્જવલા મહાજન તરીકે થઈ છે. તમામ ઘાયલોને તાત્કાલિક સ્થાનિક ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેમને સારવાર માટે નાસિક રિફર કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફુગ્ગાઓ ફુલાવવા માટે ઉપયોગમાં લેવાતા નાઇટ્રોજન ગેસ સિલિન્ડરમાં ટેકનિકલ ખામી અથવા વધુ પડતા દબાણને કારણે વિસ્ફોટ થયો હતો. પોલીસ ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને સલામતીના ધોરણોની પણ સમીક્ષા કરી રહી છે.
પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદના સંગઠન લશ્કર-એ-તય્યબાના કમાન્ડર આમિર ઝિયાએ ખુલ્લેઆમ કાશ્મીરમાં આતંક ફેલાવવાની અને ભારતમાં વિનાશ મચાવવાની ધમકી આપી છે. આમિર ઝિયા પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)માં લશ્કર-એ-તય્યબાનો કમાન્ડર છે. લશ્કરની PoK વિંગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આમિર ઝિયાએ ભારત તરફ ઇશારો કરતાં કહ્યું હતું કે ‘ગાયની પૂજા કરતો આપણો પાડોશી આજે આપણને ધમકી આપી રહ્યો છે. તેઓ એટલા હિંમતવાન થઈ ગયા છે કે તેઓ PoK પર વિજય મેળવવાની વાત કરી રહ્યા છે, પરંતુ અમે અમારી લડાઈથી પાછળ હટીશું નહીં. અમે કાશ્મીરને આઝાદ કરીશું અને સમગ્ર ભારતમાં વિનાશ મચાવીશું. ગજવા-એ-હિન્દ માટે હવે બધાં જૂથોએ ભારત સામે એક થવાની જરૂર છે.’