25 February, 2026 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિહિર કોટેચા
ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુખ્ય પ્રવક્તા તરીકે નવનાથ બનની નિમણૂક કરવામાં આવી છે. BJPના મહારાષ્ટ્ર સ્ટેટ પ્રેસિડન્ટ રવીન્દ્ર ચવાણે મંગળવારે રાજ્યના નવા પદાધિકારીઓનાં નામ જાહેર કર્યાં હતાં. પાર્ટીના સ્ટેટ મીડિયા ચીફ તરીકે સેવા આપી ચૂકેલા બન હવે કેશવ ઉપાધ્યાયેનું સ્થાન લેશે.
નવી નિયુક્તિઓમાં મુખ્ય પ્રવક્તા, મહામંત્રી, સચિવ, ઉપપ્રમુખ, ખજાનચી અને BJP યુવા મોરચાના પ્રમુખનો સમાવેશ થાય છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ અતુલ ભાતખળકર, ભારતી પવાર, સંજય કોર્ગે, સંજય ભેંડે, રામદાસ કદમ, કેશવ ઉપાધ્યાય, ગોપીચંદ પડળકર, પ્રિયા શિંદે, સુજય વિખે પાટીલ અને અર્ચના પાટીલ સહિતનાં નેતાઓને સ્ટેટના વાઇસ પ્રેસિડન્ટ્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. નિરંજન દાવખરે, સંજય કુટે, માધવી નાઈક, રાજેશ પાંડે, સુનીલ રાણે અને યોગેશ સાગરને જનરલ સેક્રેટરી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મિહિર કોટેચાને રાજ્યના ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.