23 January, 2023 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે
મુંબઈ (પી.ટી.આઇ.) : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના ચીફ રાજ ઠાકરેએ શનિવારે થાણેની મુલાકાત દરમ્યાન પક્ષના કાર્યકરોને સંબોધન કરતાં જ્યાં ચૂંટણી થવાની છે એવા સુધરાઈના વિસ્તારોમાં પક્ષની જીત સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જોકે ચૂંટણી નજીકમાં હોવા છતાં હજી સુધી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી. રાજ ઠાકરેએ એમએનએસના કાર્યકરોને મતદારો સુધી પહોંચીને તેમને પક્ષના કાર્યક્રમોથી માહિતગાર કરવા જણાવ્યું હતું.
આ પહેલાં તેમણે એક જૈન મંદિરની મુલાકાત લઈને ધાર્મિક પૂજામાં પણ ભાગ લીધો હતો.