22 June, 2026 08:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આજે બપોરે ત્રણ વાગ્યે શિવસેના (UBT)ના ૬ સંસદસભ્યો શિવસેનામાં જોડાય એવી શક્યતા
ઓમરાજે નિમ્બાળકર ઉદ્ધવ ઠાકરેની સાથે રહેશે કે પછી એકનાથ શિંદેની વાટે ચાલશે એ વિશે રવિવારે સાંજ સુધી સસ્પેન્શન રહ્યા બાદ આખરે ઓમરાજે નિમ્બાળકરે પોતાનો નિર્ણય જાહેર કરી શિવસેનામાં પ્રવેશની અટકળોનો અંત આવ્યો ત્યાર બાદ નાયબ મુખ્ય પ્રધાને ઑપરેશન ટાઇગરનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘હું કોઈ ઑપરેશન હાથમાં લઉં છું એ ક્યારેય અધૂરું નથી મૂકતો. સંસદસભ્યોને ગાળો અપાય છે અને વળી પાછા તેમને એ સંસદસભ્યો પક્ષમાં પાછા પણ જોઈએ છે. કંઈક કેમિકલ લોચો લાગે છે.’ એકનાથ શિંદેએ પોતાની જીતની ખુશી વ્યક્ત કર્યા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ઑપરેશન સફળ રહ્યું અને બૉડી પણ એકદમ હેલ્ધી છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. જે લોકોએ આત્મમંથન કરવું જોઈએ એ કરશે કહીને હરખ વ્યક્ત કર્યો હતો. ઓમરાજે નિમ્બાળકરે પોતાનો નિર્ણય જાહેર કર્યો એ પહેલાં જ એકનાથ શિંદેએ તમને થોડી જ વારમાં બ્રેકિંગ ન્યુઝ મળશે, એમ કહ્યું હતું અને એની થોડી જ વારમાં ઓમરાજે નિમ્બાળકરે તેમનો નિર્ણય જાહેર કર્યો હતો.