Mumbai- MMRDAનું 24 કલાક ચાલનાર મૉનસૂન ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ 1 જૂનથી થશે શરૂ

31 May, 2023 07:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દરવર્ષની જેમ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથૉરિટી (MMRDA)એ મૉનસૂન માટે ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ બનાવ્યો છે. ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ 1 જૂનથી શરૂ થશે અને 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

પ્રતીકાત્મક તસવીર

દરવર્ષની જેમ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથૉરિટી (MMRDA)એ મૉનસૂન માટે ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ બનાવ્યો છે. ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ 1 જૂનથી શરૂ થશે અને 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. એમએમઆરડીએના પ્રૉજેક્ટ સ્થળની સાથે-સાથે પ્રૉજેક્ટની આસપાસના ક્ષેત્રમાં વરસાદના વાતાવરણમાં થનારી સમસ્યાઓનું સમાધાન આ કક્ષના માધ્યમે કરવામાં આવશે. (Mumbai MMRDAs 24 hour Monsoon Emergency Control Room to be operational from June 1)

મુંબઈ (Mumbai) અને મુંબઈ મહાનગર ક્ષેત્રમાં અત્યાધુનિક પાયાનો ઢાંચો ઉપલબ્ધ કરાવવા માટે વિભિન્ન પરિયોજનાઓને ક્રિયાન્વિત કરવામાં આવે છે. મેટ્રો, મુંબઈ પોરબંદર પરિયોજના, સાંતાક્રુઝ-ચેમ્બૂર એક્સપ્રેસવે વિસ્તાર પરિયોજના, ઐરોલી-કતાઈ નાકા એક્સપ્રેસવે અને સાથે જ મેટ્રો, શિવડી-વરલી એલિવેટેડ લાઈન, ઈસ્ટર્ન એક્સપ્રેસવે પર છેડા નગર જંક્શન સુધાર પરિયોજના, મુંબઈ મહાનગર ક્ષેત્રમાં વિસ્તારિત એમયૂઆઈપી- વિભિન્ન રસ્તાઓ, પુલો હેઠળ OARDS, આમાં ફ્લાયઓવર જેવા વિભિન્ન પ્રકારના કાર્ય સામેલ છે.

મૉનસૂન દરમિયાન પાણી જમા થાય છે, ઝાડ ઉખડે છે, ટ્રાફિક જામ, દુર્ઘટનાઓ વગેરેનો સામનો કરવો પડે છે. આ કાર્યસ્થળો અને આસપાસના ક્ષેત્રોમાં થાય છે. દુર્ઘટનાઓ અટકાવવા માટે અથવા દુર્ઘટનાઓ મામલે તત્કાલ મદદ મેળવવા માટે એમએમઆરડીએ દ્વારા દર વર્ષે ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ સ્થાપવામાં આવે છે.

આ રૂમ આખા મૉનસૂનમાં ક્રિયાશીલ રહે છે. આ નિયંત્રણ રૂમ હેઠળ ફરિયાદોનું 24 કલાક નિરીક્ષણ કરવામાં આવે છે અને મુંબઈ નગર નિગમ, લોક નિર્માણ વિભાગ, મહારાષ્ટ્ર રાજ્ય રોડ વિકાસ નિગમ, રેલવે વગેરેના ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ સાથે સમન્વય કરવામાં આવે છે. સાથે જ સૂચનાઓનું આદાન-પ્રદાન કરીને નાગરિકોની ફરિયાદનો ઉકેલ લાવવામાં આવે છે.

આ કન્ટ્રોલ રૂમના અધિકારી અને કર્મચારી ત્રણ શિફ્ટમાં કામ કરશે. એમએમઆરડીએએ બધા સંબંધિક કૉન્ટ્રેક્ટરોને પોતે ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ સ્થાપિત કરતી વખતે સુરક્ષા નિયમોનું મક્કમતાથી પાલન કરવાના નિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચો : Exclusive : અંબાણીના ઘરે થયું લક્ષ્મીનું આગમન, શ્લોકાએ આપ્યો દીકરીને જન્મ

કૉન્ટ્રેક્ટર્સને નિર્દેશ આપવામાં આવ્યા છે કે જે સ્થળે સીવરેજના નિકાસની વ્યવસ્થા નથી અને જ્યાં વરસાદનું પાણી જમા થવાની શક્યતા છે, ત્યાં વધારાની ક્ષમતાવાળા વૉટર પમ્પિંગ પંપ લગાડવામાં આવે. આ દરમિયાન, 1 જૂન, 2023થી નાગરિક આપાતકાલીન સ્થિતિમાં ટેલીફોન નંબર 022-26591241, 022-26594176, મોબાઈલ નંબર 8657402090 અને 1800228801 (ટોલ ફ્રી) નંબર પર સંપર્ક કરીને કન્ટ્રોલ રૂમમાંથી મદદ મેળવી શકે છે.

Mumbai mumbai news mumbai metropolitan region development authority mumbai monsoon maharashtra mumbai rains