મહારાષ્ટ્ર: વાશિમમાં બસ-ટ્રકની અથડામણ, 2ના મોત, 18 ગંભીર રીતે ઘાયલ

24 July, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં બુધવારે સવારે એક અકસ્માત થઈ ગયો. જ્યાં એક ટ્રક અને લગ્ઝરી બસમાં અથડામણ થઈ ગઈ. જેથી 2 લોકોના મોત નીપજ્યા અને 18 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં બુધવારે સવારે એક અકસ્માત થઈ ગયો. જ્યાં એક ટ્રક અને લગ્ઝરી બસમાં અથડામણ થઈ ગઈ. જેથી 2 લોકોના મોત નીપજ્યા અને 18 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા.

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં બુધવારે સવારે એક અકસ્માત (Road Accident) થઈ ગયો. જ્યાં એક ટ્રક અને એક લક્ઝરી બસ ટકરાઈ ગઈ. જેના કારણે 2 લોકોના મોત થયા અને 18 લોકો ઘાયલ થયા. હાલમાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, જિલ્લાના પેડગાંવ નજીક, બુધવારે સવારે પુણેથી કરંજા શહેર આવી રહેલી સિંધ ટ્રાવેલ્સની એક લક્ઝરી બસ સંભાજી નગર તરફ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે લક્ઝરી બસનો કેબિન ચકનાચૂર થઈ ગયો અને ટ્રક પલટી ગઈ.

અકસ્માતને (Accident) કારણે એક કલાક સુધી ટ્રાફિક (Traffic) ખોરવાઈ ગયો
આ અકસ્માતમાં લક્ઝરી બસના ડ્રાઈવર અને ટ્રક ડ્રાઈવરનું મોત નીપજ્યું. જ્યારે બસમાં સવાર 18 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા. રસ્તામાં થયેલા આ અકસ્માતને કારણે, નાગપુરથી (Nagpur) સંભાજી નગર (Sambhaji Nagar) રૂટ 1 કલાક સુધી બંધ રહ્યો.

પોલીસે જણાવ્યું કે વાશિમ (Washim) જિલ્લામાં એક રોડ અકસ્માત થયો હતો. જ્યાં એક લક્ઝરી બસ ટ્રક સાથે ટકરાઈ હતી. જેના કારણે બે લોકોના મોત થયા. જ્યારે 18 લોકો ઘાયલ થયા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પહેલા મહારાષ્ટ્રના (Maharashtra) વાશિમ (Washim) જિલ્લામાં ઘટેલી અકસ્માતની (Accident) ઘટનાઓ:
મહારાષ્ટ્રના (Maharashtra) વાશિમ જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પરથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં ગુરુવારે રાત્રે એક કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા. આ માહિતી શુક્રવારે સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. આ અકસ્માત (Accident) વનોજા અને કરંજાની વચ્ચે થયો હતો, જ્યારે કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો.

માંગરુલપીર પોલીસના જણાવ્યા અનુસાર, નાગપુર જિલ્લાના ઉમરેડમાં રહેતા એક પરિવારના પાંચ સભ્યો પુણેમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપીને કાર દ્વારા પરત ફરી રહ્યા હતા. ઘટના સ્થળની નજીક, ચેનલ નંબર 215 નજીક, કાર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને કાર ડિવાઇડર સાથે અથડાઈ.

આ અકસ્માતમાં માધુરી જયસ્વાલ અને વૈદેહી જયસ્વાલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે સંગીતા અને રાધેશ્યામ જયસ્વાલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવન સામે સંઘર્ષ કરી રહ્યા હતા. કાર ચાલક ઘાયલ છે અને વાશિમની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

mumbai news mumbai samruddhi expressway road accident maharashtra maharashtra news