18 August, 2026 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રવિવારે પરેલ-લાલબાગ વિસ્તારમાં ગણપતિનીમૂર્તિઓનું આગમન જોવા એકત્ર થયેલી ભીડમાં ચોરોએ ત્રણ સોનાની ચેઇન અને ચાર મોબાઇલ ફોન સેરવી લીધાં હતાં. આ કેસોમાં ભોઈવાડા અને કાલાચૌકી પોલીસ-સ્ટેશનમાં સેપરેટ ફરિયાદ નોંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આગમન દરમ્યાન માત્ર એક દિવસમાં ૬૦થી વધારે મોબાઇલ અને ૧૨થી વધારે ચેઇનની ચોરી થઈ હતી.
ભોઈવાડા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પરેલના ડૉ. બી. એ. રોડ પર આવેલા કલાગંધ ગણેશ કારખાના બહારથી રવિવારે સવારે ગણપતિ આગમન દરમ્યાન ઊમટેલી ભારે ભીડનો લાભ ઉઠાવીને અજ્ઞાત તસ્કરોએ સોનાની ચેઇનોની ચોરી કરી હતી. ધારાવીના કુંભારવાડામાં રહેતો અને સોમૈયા કૉલેજમાં અભ્યાસ કરતો ૨૧ વર્ષનો વિદ્યાર્થી ક્રિશ જેઠવા મૂર્તિઓનું આગમન જોઈ રહ્યો હતો ત્યારે અચાનક થયેલી ધક્કામુક્કીમાં તેના ગળામાંથી ૫૫,૦૦૦ રૂપિયાની કિંમતની ૫.૫ ગ્રામની સોનાની ચેઇન ચોરાઈ ગઈ હતી. એવી જ રીતે ચેમ્બુરના ૧૭ વર્ષના અર્જુન પાટીલની ૪૭,૦૦૦ રૂપિયાની ૯.૮ ગ્રામની ચેઇન અને નવી મુંબઈના ૨૦ વર્ષના વંશ જાવળેકરની ૧,૮૭,૧૦૭ રૂપિયાની ૧૪.૪૭ ગ્રામની ચેઇનની ચોરી થઈ હતી. આ કેસોમાં સેપરેટ ફરિયાદ નોંધ કરવામાં આવી છે.’
કાલાચૌકી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર આદિનાથ ગાવળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ લાલબાગમાં રવિવારે યોજાયેલા ગણપતિ આગમન મહોત્સવની શોભાયાત્રા દરમ્યાન ઊમટેલી ભારે ભીડનો લાભ ઉઠાવીને અજ્ઞાત તસ્કરોએ ૪ ભાવિકોના આઇફોન સહિત ૪ મોંઘા મોબાઇલ ફોન આંચકી લીધા છે.