ઘાટકોપરમાં ૧૫મા માળના ફ્લૅટમાં બાળકો માચીસથી રમતાં હતાં ત્યારે લાગી આગ

31 May, 2023 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ આગમાં કોઈ જાનહાનિના કે કોઈના ઘાયલ થવાના અહેવાલ નથી

ઘાટકોપરમાં લાગી આગ

ઘાટકોપર-વેસ્ટમાં એલબીએસ માર્ગ પર આવેલા વાધવાન કૉમ્પ્લેક્સના બુલેવાર્ડ-૧ બિલ્ડિંગના પંદરમા માળે આવેલા એક ફ્લૅટમાં ગઈ કાલે સાંજે પોણાઆઠ વાગ્યે આગ ફાટી નીકળી હતી.

ગ્રાઉન્ડ પ્લસ ૨૮ માળના એ ​બિલ્ડિંગમાં આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનાં ત્રણ ફાયર એન્જિન અને જમ્બો ટૅન્કર ઘટનાસ્થળે ધસી ગયાં હતાં.

આ આગમાં કોઈ જાનહાનિના કે કોઈના ઘાયલ થવાના અહેવાલ નથી. એવું કહેવાઈ રહ્યું છે કે બાળકો બેડરૂમમાં મૅચ-બૉક્સથી રમતાં હતાં ત્યારે પલંગ પરની ચાદર સળગી જવાથી આગ લાગી હતી. 

mumbai mumbai news ghatkopar fire incident