Mumbai: મધ્ય રેલવે લાઈનની ઉપનગરીય લોકલ ટ્રેનના સમયમાં ફેરફાર

21 February, 2023 09:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મધ્ય રેલવે (Central Railway)એ નીચે આપેલા વિવરણ પ્રમાણે કેટલીક ઉપનગરીય સેવાઓના સમયમાં ફેરફાર કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

મધ્ય રેલવે (Central Railway)એ નીચે આપેલા વિવરણ પ્રમાણે કેટલીક ઉપનગરીય સેવાઓના સમયમાં ફેરફાર કર્યો છે.

મધ્ય રેલવેએ મુંબઈની ઉપનગરીય રેલવેના સમયમાં કરેલા ફેરફાર આ પ્રમાણે છે. 

1. થાણે લોકલ જે CSMTથી 5.04 વાગ્યાની હતી તે હવે 5.00 વાગ્યે નીકળશે અને 5.55 વાગ્યે થાણે પહોંચશે.

2. વિદ્યાવિહારથી ઉપડતી 5.39ની ટ્રેન હવે 5.34 વાગ્યે ઉપડશે અને 6.31 વાગ્યે કલ્યાણ પહોંચશે.

3. CSMTથી 5 વાગ્યે ઉપડતી કસારા લોકલ હવે 5.07 વાગ્યે ઉપડશે અને 7.46 વાગ્યે કસારા પહોંચશે.

4. CSMTથી 4.05 વાગ્યે ઉપડતી અંબરનાથ લોકલ હવે 4.08 વાગ્યે રવાના થશે અને 5.24 વાગ્યે અંબરનાથ સ્ટેશન પહોંચશે.

5. CSMTથી 4.10 વાગ્યે નીકળતી કલ્યાણ લોકલ હવે 4.11 વાગ્યે નીકળશે અને 5.19 વાગ્યે કલ્યાણ પહોંચશે. 

6. CSMTથી ઉપડતી આસનગાંવ લોકલ 4.17 વાગ્યે ઉપડશે અને થાણે 4.55ને બદલે 4.56 વાગ્યે પહોંચશે.

7. થાણેથી 11.37 વાગ્યે ઉપડતી CSMT લોકલ હવે 11.36 વાગ્યે ઉપડશે અને 12.34 વાગ્યે સીએસએમટી પહોંચશે.

8. કસારાથી 10.13 વાગ્યે નીકળતી CSMT લોકલ હવે 10.18 વાગ્યે નીકળશે અને 12.40 વાગ્યે CSMT પહોંચશે.

9. કર્જતથી 10.45 વાગ્યે નીકળતી CSMT લોકલ (કોઈ ફેરફાર નહીં) 12.40ને બદલે 12.44 વાગ્યે પહોંચશે.

10. કલ્યાણથી 11.42 વાગ્યે નીકળતી CSMT હવે 11.46 વાગ્યે નીકળશે અને 12.48 વાગ્યે સીએસએમટી સ્ટેશન પહોંચશે.

11. અંબરનાથથી 11.37 વાગ્યે ઉપડતી CSMT લોકલ હવે 11.38 વાગ્યે ઉપડશે અને 12.54 વાગ્યે CSMT પહોચશે.

આ પણ વાંચો : TMC કમિશનરે સરપ્રાઇઝ વિઝિટ કરી કૉન્ટ્રૅક્ટરને ખરાબ કામ કરવા બદલ બ્લૅકલિસ્ટ કર્યો

12. બદલાપુરથી 11.23 વાગ્યે નીકળતી CSMT લોકલ હવે 11.25 વાગ્યે રવાના થશે અને 13.19 વાગ્યે CSMT પહોંચશે.

મેઈન લાઈન માટે ઉપનગરીય ટાઈમટેબલમાં જે પરિવર્તન કરવામાં આવ્યા છે તે cr.indianrailways.gov.in પર ઉપલબ્ધ છે.

mumbai news mumbai local train thane Mumbai mumbai trains central railway mumbai railways