આદિત્ય ઠાકરે ઇમ્મેચ્યૉર છે એટલે જ આવા નિવેદનો આપે છે: એકનાથ શિંદે જૂથનો વળતો પ્રહાર

06 February, 2023 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આદિત્ય ઠાકરેએ શિંદેને પડકાર ફેંકતા કહ્યું કે જો તેમને લાગે છે કે તેઓ મહારાષ્ટ્રના સૌથી લોકપ્રિય મુખ્યપ્રધાન છે. તો તેમણે ચૂંટણી જીત્યા પછી આવવું જોઈએ

ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર (Maharashtra)ના પ્રધાન દીપક કેસરકરે રવિવારે શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરે (Aaditya Thackeray) દ્વારા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે (CM Eknath Shinde)ને થાણેથી રાજીનામું આપવા અને વરલીથી ચૂંટણી લડવા માટે આપેલા પડકાર પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે આદિત્ય ઠાકરેના આ નિવેદનને બાલિશ ગણાવ્યું હતું.

આદિત્ય ઠાકરેને ગણાવ્યા `અપરિપક્વ`

તેમણે આગળ કહ્યું કે, “અમે એમ પણ કહી શકીએ કે આદિત્ય ઠાકરેએ વર્લીથી રાજીનામું આપીને થાણેથી ચૂંટણી લડવી જોઈએ, પરંતુ અમે આ નહીં કરીએ કારણ કે તે અમારી સંસ્કૃતિ નથી. આદિત્યએ એ ન ભૂલવું જોઈએ કે તેણે વરલીથી ચૂંટણી કેવી રીતે જીતી હતી. વરલીના બે લોકોએ તેમની જીત માટે પોતાનો જીવ આપી દીધો હતો, ત્યારે જ તેઓ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. તે બંને વ્યક્તિઓને પાછળથી એમએલસી બનાવવામાં આવી હતી.

આદિત્ય ઠાકરેએ આ ચેલેન્જ આપી

નોંધપાત્ર રીતે, એકનાથ શિંદે સરકારમાં કેસરકરનું નિવેદન આદિત્ય ઠાકરેના નિવેદન પછી આવ્યું છે કે “હું ગેરબંધારણીય મુખ્યપ્રધાન એકનાથ શિંદેને વર્લી વિધાનસભા ચૂંટણીમાંથી મારી સામે લડવા માટે પડકાર આપું છું.” ઠાકરેએ શિંદેને પડકાર ફેંકતા કહ્યું કે જો તેમને લાગે છે કે તેઓ મહારાષ્ટ્રના સૌથી લોકપ્રિય મુખ્યપ્રધાન છે. તો તેમણે ચૂંટણી જીત્યા પછી આવવું જોઈએ. આ પછી આદિત્યએ કહ્યું કે “હું મારી સીટ વર્લી પરથી રાજીનામું આપીશ અને તેમણે પોતાની સીટ પરથી રાજીનામું આપવું જોઈએ. તેમણે વરલીમાંથી મારી સામે ચૂંટણી જીતીને બતાવવું જોઈએ.”

`પક્ષો બદલીને સરકાર બનાવવી એ ગેરબંધારણીય છે`

આદિત્ય ઠાકરેએ સરકાર બનાવવા માટે શિવસેના સામેના બળવાને બંધારણની હત્યા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે જો પક્ષપલટો કરનારા મંત્રીઓ અને ધારાસભ્યોને લાગે છે કે તેમનો નિર્ણય સાચો છે તો તેમણે ચૂંટણીમાં જવું જોઈએ અને વિજયી થવું જોઈએ. જો તેઓ ચૂંટણી જીત્યા પછી આવે અને સરકાર બનાવે તો તેમને કોઈ વાંધો નહીં હોય.

આ પણ વાંચો: છેતરાયેલો વેપારી બની ગયો બીજા વેપારી માટે તારણહાર

આ સાથે તેમણે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે પર પણ પ્રહાર કરતાં કહ્યું કે જો તેમને લાગે છે કે તેઓ લોકપ્રિય સીએમ છે અને તેમનામાં હિંમત છે તો તેમણે રાજીનામું આપીને ચૂંટણી લડવી જોઈએ અને ચૂંટણી જીતીને સીએમ બનવું જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે “હું પણ મારી સીટ પરથી રાજીનામું આપું અને તેમણે પણ પોતાની સીટ પરથી રાજીનામું આપીને મારી સામે ચૂંટણી જીતવી જોઈએ.”

 

mumbai mumbai news aaditya thackeray shiv sena uddhav thackeray eknath shinde