પુણેમાં સ્કૂલ-બસમાં લાગી આગ : ડ્રાઇવરની સમયસૂચકતાને લીધે ૧૫ વિદ્યાર્થીઓ બચી ગયા

06 December, 2024 09:55 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી બસ ઊભી રાખીને બાળકોને એમાંથી ઉતારી દીધાં હતાં જેને કારણે ૧૫ વિદ્યાર્થીઓ બચી ગયા હતા.

આગની ઘટના

પુણેમાં એક મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી. એક સ્કૂલ-બસમાં આગ લાગતાં ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી બસ ઊભી રાખીને બાળકોને એમાંથી ઉતારી દીધાં હતાં જેને કારણે ૧૫ વિદ્યાર્થીઓ બચી ગયા હતા.

બસમાં આગ લાગવાની આ ઘટના ગઈ કાલે પુણેના ખરડીના તુળજાભવાની નગરમાં બપોરે ૨.૪૫ વાગ્યે બની હતી. બસનો ડ્રાઇવર બાળકોને ઘરે પાછાં છોડી રહ્યાં હતો ત્યારે બસમાંથી ધુમાડો નીકળવા માંડતાં ડ્રાઇવરે તરત જ બસ ઊભી રાખી દીધી હતી અને વિદ્યાર્થીઓને બસમાંથી નીચે ઉતારીને દૂર લઈ ગયો હતો. ત્યાર બાદ તેણે જોયું કે બસમાં આગ લાગી છે એટલે તેણે ફાયર-એક્સ્ટિંગ્વિશરની મદદથી આગ ઓલવવાની કોશિશ કરી હતી, પણ સફળતા મળી નહોતી. એ પછી ફાયર-બ્રિગેડે પાણીનો જોરદાર મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આમ ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે ૧૫ બાળકોના જીવ બચી ગયા હતા.  

mumbai news mumbai fire incident pune news pune