મરાઠા અનામતને પડકારતી અરજીઓની સુનાવણીમાંથી એક જજ ખસી ગયા

07 October, 2025 07:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એટલે ગઈ કાલની સુનાવણી ન થઈ શકી, હવે બૉમ્બે હાઈ કોર્ટની નવી બેન્ચ સમક્ષ થશે

બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર

મરાઠા સમાજને કુણબી સર્ટિફિકેટ આપી અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અધર બૅક્વર્ડ ક્લાસની પાંચ અરજીઓ પર ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટમાં સુનાવણી હતી. એ અરજીઓ જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને સંદેશ પાટીલની બેન્ચ સામે સુનાવણી માટે આવી ત્યારે બેન્ચે એના પર સુનાવણી કરવાની ના પાડી હતી. એનું કારણ એ હતું કે જસ્ટિસ સંદેશ પાટીલે તેમને આ કેસથી દૂર રાખવામાં આવે એવું કહ્યું હતું. એથી હવે એ અરજીઓની સુનાવણી બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જ​સ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અણખડની બેન્ચ કરશે. 

આ અરજીઓ કુણબી સમાજ, મહારાષ્ટ્ર માળી સમાજ મહાસંઘ, આહિર સુવર્ણકાર સમાજ સંસ્થા, સદાનંદ માંડલિક અને મહારાષ્ટ્ર નાભિક મહામંડલ દ્વારા કરવામાં આવી છે. તેમનો એવો દાવો છે કે સરકારે મરાઠાઓને આપેલા અનામતનો એ નિર્ણય આપખુદ, ગેરબંધારણીય હોવાથી એ પાછો ખેંચવામાં આવે. કુણબી સમાજે તેમની અરજીમાં રજૂઆત કરતાં કહ્યું છે કે સરકારના એ રેઝોલ્યુશન્સને કારણે તેમની ત્રણ કાસ્ટ કુણબી, કુણબી મરાઠા અને મરાઠા કુણબીને ઇશ્યુ કરવામાં આવતા સર્ટિફિકેટના ક્રાઇટેરિયામાં ફરક પડી જાય છે.   

mumbai news mumbai maratha reservation bombay high court Crime News maharashtra news