૧૫૭૪ દુર્ગામાતાની મૂર્તિનું મુંબઈમાં વિસર્જન થયું

04 October, 2025 07:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BMCએ દુર્ગામાતાની મૂર્તિના વિસર્જન માટે ૫૩ કૃત્રિમ તળાવો ઊભાં કર્યા હતાં.

ફાઇલ તસવીર

મુંબઈમાં વિજયાદશમી પર દુર્ગામાતાની ૧૫૭૪ મૂર્તિઓનું વિસર્જન થયું હતું. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આપેલી માહિતી મુજબ રાતે ૯ વાગ્યા સુધીમાં ૩૫૫ સાર્વજનિક મંડળની મૂર્તિ અને ૧૨૧૯ ઘરે લાવેલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બૉમ્બે હાઈ કોર્ટના આદેશ મુજબ ૬ ફુટથી નાની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવાનું હોવાથી BMCએ દુર્ગામાતાની મૂર્તિના વિસર્જન માટે ૫૩ કૃત્રિમ તળાવો ઊભાં કર્યા હતાં.

mumbai news mumbai navratri dussehra durga puja brihanmumbai municipal corporation