કેદીઓએ દીવાસળીમાંથી બનાવ્યાં શસ્ત્રો

03 November, 2011 10:28 PM IST  | 

કેદીઓએ દીવાસળીમાંથી બનાવ્યાં શસ્ત્રો

 

કેદીઓએ અનેક દીવાસળીઓને ગુંદર વડે ચીપકાવી એમાંથી તલવાર, ખંજર અને બંદૂકો જેવાં શસ્ત્રો બનાવ્યાં હતાં. દીવાસળીમાંથી શસ્ત્રો બનાવવાની કલ્પના કરવી પણ અશક્ય છે ત્યારે કેદીઓને આ રીતે આ શસ્ત્રો બનાવતાં મહિનાઓ લાગ્યા હોય એ સ્વાભાવિક છે. એમ છતાં જેલના સત્તાવાળાઓને અત્યાર સુધી આ વિશે જરા પણ ગંધ આવી નહોતી.