પાકિસ્તાન તરફ વાઘા બોર્ડર પર આત્મઘાતી હુમલામાં ૫૨નાં મોત

03 November, 2014 06:10 AM IST  | 

પાકિસ્તાન તરફ વાઘા બોર્ડર પર આત્મઘાતી હુમલામાં ૫૨નાં મોત




પ્રાથમિક માહિતી પ્રમાણે ભારતીય સરહદથી ૫૦૦ મીટર દૂર આ ધડાકો થયો હર્તી. સુસાઇડ બૉમ્બર આશરે ૧૮ વર્ષનો હોવાનું માનવામાં આવે છે. તે એક રેસ્ટોરાં પાસેથી જતો હતો ત્યારે આ ધડાકો થયો હતો. આ ધડાકામાં પાકિસ્તાની રૅન્જર્સના જવાનોએ પણ જાન ગુમાવ્યા હોવાનું મનાય છે. લાહોરની ઘુરકી હૉસ્પિટલમાં આશરે ૪૫થી વધારે ડેડ બૉડી મોકલવામાં આવી છે. જાન ગુમાવનારાઓમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ છે.