પાકિસ્તાનમાં થયો આત્મઘાતી હુમલો

25 December, 2011 05:18 AM IST  | 

પાકિસ્તાનમાં થયો આત્મઘાતી હુમલો


જેમાં ઓછામાં ઓછા ૯ સુરક્ષા જવાનો મૃત્યુ પામ્યા હતા અને ૧૭ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ હુમલો ખૈબર-પખ્તૂનખ્વા પરગણાના બન્નુ શહેરમાં થયો હતો. આ ધડાકાને કારણે ઇમારતનો અમુક હિસ્સો તૂટી પડ્યો હતો અને એમાંથી ૯ મૃતદેહો મળી આવ્યાં હતાં. હજી ઇમારતનો ઘણો કાટમાળ ઉલેચવાનો બાકી હોવાને કારણે એમાં બીજા મૃતદેહો દબાયેલા હોવાની પૂરેપૂરી શક્યતા છે.કોઈ આતંકવાદી જૂથે આ આત્મઘાતી હુમલાની જવાબદારી નથી લીધી, પણ સ્થાનિક અધિકારીઓ આ અટૅક માટે લોકલ તાલિબાની જૂથને જવાબદાર ગણી રહ્યા છે.