10 November, 2014 06:06 AM IST |
જો હુમલામાં બગદાદીનું મોત થયું હશે તો એ IS વિરુદ્ધ હવાઈ હુમલા કરી રહેલા દેશોના ગઠબંધનની જીત થઈ ગણાશે. અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામા ઇરાકમાં વધુ ૧૫૦૦ સૈનિકો મોકલવાના છે.
હુમલામાં બગદાદીના મૃત્યુ બાબતે એક વરિષ્ઠ ઇરાકી ખુફિયા અધિકારીનું કહેવું હતું કે ‘હજી સુધી કોઈ સ્પષ્ટ જાણકારી ઉપલબ્ધ નથી. જાણકાર બિનઅધિકારિક સૂત્રો તરફથી મળી રહી છે. હજી સુધી જાણકારીની પુષ્ટિ થઈ નથી અને અમે આ વાતની જાણકારી મેળવી રહ્યા છીએ.’