મંગળવારે સાનિયા મિર્ઝાને તાજમહલમાં એન્ટ્રી કેમ ન મળી?

09 October, 2014 03:17 AM IST  | 

મંગળવારે સાનિયા મિર્ઝાને તાજમહલમાં એન્ટ્રી કેમ ન મળી?


જોકે મંગળવારે સાનિયાને તાજમહલમાં એન્ટ્રી મળી નહોતી. આગરાના ટૂરિસ્ટ-ગાઇડ વેદ ગૌતમે પત્રકારોને કહ્યું હતું કે મંગળવારે સાંજે સાનિયા મોડી પહોંચી હતી અને તાજમહલમાં એન્ટ્રીનો સમય પૂરો થઈ ગયો હોવાથી દરવાજા બંધ થઈ ગયા હતા.

તાજમહલમાં એન્ટ્રી ન મળવાથી સાનિયા નિરાશ થઈને દરવાજેથી પાછી ફરી હતી.

સાનિયા મિર્ઝા અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અનિલ કુંબલે મંગળવારે એક કાર્યક્રમમાં ભાગ લેવા આગરા ગયાં હતાં અને તાજમહલ જોવાની ઇચ્છા જાહેર કરી હતી. જોકે અનિલ કુંબલેએ તાજમહલ જોવાનો ભરપૂર આનંદ લીધો હતો, પરંતુ સાનિયા મિર્ઝા મોડી પડી હતી અને તાજમહલના દૂરથી માત્ર ફોટો જ પાડી શકી હતી. સાનિયાએ જોકે તાજમહલ જોવાની ઇચ્છા ગઈ કાલે પૂરી કરી હતી.