અન્ગેલા મેર્કલ સાથે નરેન્દ્ર મોદીની ચાય પે ચર્ચા

14 April, 2015 06:56 AM IST  | 

અન્ગેલા મેર્કલ સાથે નરેન્દ્ર મોદીની ચાય પે ચર્ચા


વડા પ્રધાને ભારતમાં નિર્મિત બાયોનિક એન્ટ્સ વિશે અન્ગેલા મેર્કલને સમજ આપી હતી (જમણે). દુનિયાનાં ઝડપભેર વિકસી રહેલાં અર્થતંત્રો પૈકીના એક ભારતમાં રોકાણ કરવાનું નોતરું આ પ્રસંગે કરેલા ઉદ્બોધનમાં નરેન્દ્ર મોદીએ જર્મન ઇન્વેસ્ટર્સને આપ્યું હતું અને કહ્યું હતું કે ભારતમાં વૈશ્વિક રોકાણનું કેન્દ્ર બનવાની પ્રચંડ ક્ષમતા છે. એક દેશ તરીકે ભારત હવે બદલાઈ ગયો હોવાની ખાતરી આપતાં તેમણે જણાવ્યું હતું કે જરૂર જણાશે ત્યારે નિયમોમાં ફેરફાર પણ કરવામાં આવશે. નરેન્દ્ર મોદી અને અન્ગેલા મેર્કલ આજે બર્લિનમાં દ્વિપક્ષી મંત્રણા કરવાના છે.