14 May, 2025 07:02 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ (તસવીર સૌજન્ય મિડ-ડે)
India Pakistan Conflict: પાકિસ્તાને સ્વીકાર્યું છે કે ભારત તરફથી લૉન્ચ કરવામાં આવેલા ઑપરેશન સિંદૂરમાં પાકિસ્તાની સેનાના 11 જવાન માર્યા ગયા, જ્યારે 78 જવાન ઘાયલ થયા છે.
જમ્મૂ કાશ્મીરના (Jammu Kashmir Pahalgam Terror Attack) પહલગામમાં 22 એપ્રિલના થયેલા આતંકવાદી હુમલા બાદ 6-7 મેની રાતે ભારતે ઑપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી કરી. ભારતે પાકિસ્તાનમાં ઘુસીને 9 આતંકવાદી ઠેકાણા સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધા, જેમાં 100થી વધારે આતંકવાદી માર્યા ગયા. ત્યાર બાદ પાકિસ્તાને ભારત પર 7થી 10 મે વચ્ચે ડ્રોન અને મિસાઈલોથી અનેક વાર હુમલા કર્યા, જેનું ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો. ભારતે પોતાની કાર્યવાહીમાં 11 ઍરબેઝને તબાહ કરી દીધા છે. હવે પાકિસ્તાને સ્વીકાર્યું છે કે ભારતની કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના 11 જવાન માર્યા ગયા, જ્યારે 78 જવાન ઘાયલ થયા છે. આમાં 5 ઍર ફોર્સના અધિકારી પણ સામેલ છે.
પાકિસ્તાને જણાવ્યું છે કે ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન (Pakistan) આર્મીના અબ્દુલ રહમાન, દિલાવર ખાન, ઈકરામુલ્લા, ખાલિદ, મોહમ્મદ અદીલ અકબર, અને નિસાર મારવામાં આવ્યા છે, જ્યારે પાકિસ્તાન વાયુ સેનાના સ્ક્વૉડ્રન લીડર ઉસ્માન યૂસુફ, મુખ્ય ટેક્નીશિયન, ઔરંગઝેબ, ચીફ ટેક્નીશિયન, કૉર્પોરેલ ટેક્નીશિયન ફારૂક અને સીનિયર ટેક્નીશિયન મુબાશિરનું મોત થયું છે.
પાકિસ્તાન સ્ક્વોડ્રન લીડર ઉસ્માન યુસુફ સહિત કુલ પાંચ પાકિસ્તાન વાયુસેના માર્યા ગયા હતા, જે બધા જ જેકોબાબાદ એર બેઝ (સિંધ પ્રાંત) પર તૈનાત હતા. ઉસ્માન અને તેના સાથીઓ ભારત સામે JF-17 ઉડાડવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે ભારતે શાહબાઝ એરબેઝ પર હુમલો કર્યો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામ પર થઈ વાતચીત
ત્રણ દિવસની સતત લડાઈ પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર થયા. બંને દેશો સંમત થયા કે હવે સરહદ પર શાંતિ સ્થાપિત થશે અને બંને દેશો વચ્ચે તણાવ ઓછો થશે. જોકે, પાકિસ્તાને તેની ગતિવિધિઓ બંધ ન કરી અને લગભગ ત્રણ કલાક પછી, તેણે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ડ્રોન અને મિસાઇલોથી ફરીથી ભારત પર હુમલો કર્યો, પરંતુ ભારતે તેનો જવાબ આપ્યો. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ભારતે તેની કાર્યવાહીમાં ૧૧ એરબેઝનો નાશ કર્યો. સોમવારે (૧૨ મે) ભારતીય સેનાએ એક પ્રેસ બ્રીફિંગમાં આનો પુરાવો રજૂ કર્યો.
પાકિસ્તાને યુદ્ધવિરામની અપીલ કરી
પાકિસ્તાને ભારતને યુદ્ધવિરામ કરાર માટે અપીલ કરી. ખરાબ રીતે હાર્યા બાદ, પડોશી દેશે 10 મેના રોજ બપોરે લગભગ 3.35 વાગ્યે ભારતીય સેનાના (Indian Army) DGMOનો સંપર્ક કર્યો. ત્યાં સુધીમાં ભારતે આતંકવાદી માળખાનો મોટાભાગે નાશ કરી દીધો હતો.