24 November, 2012 06:07 AM IST |
કરાચીથી પ્રસિદ્ધ થતા ‘ડેઇલી ઉમ્મત’ નામના અખબારે તો એવો દાવો કર્યો છે કે કસબ ફાંસી નહીં પણ ડેન્ગીને કારણે મર્યો છે. આ અખબારે ભારત સરકારને એવો પણ સવાલ કર્યો હતો કે શા માટે સરકારે કસબ સાજો થાય એની રાહ નહોતી જોઈ? લાહોરથી પ્રકાશિત થતા ‘રોજનામા’ નામના અખબારે તો કસબને બૉલીવુડના હીરો જેવો ગણાવી દીધો હતો. આ અખબારે તેના આર્ટિકલમાં લખ્યું છે કે ‘કસબ જ્યારે મુંબઈમાં લોહીની હોળી રમી રહ્યો હતો ત્યારે એ બૉલીવુડના ઍક્ટર જેવો લાગતો હતો. તેના વાળ ચમકતા હતા અને ચહેરો એકદમ ફ્રેશ અને ક્લીન શેવ હતો. એવું લાગતું હતું કે તે કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે.’