દીકરાને ધમકાવવા બદલ નૉર્વેના ભારતીય કપલને થઈ શકે છે સજા

02 December, 2012 05:31 AM IST  | 

દીકરાને ધમકાવવા બદલ નૉર્વેના ભારતીય કપલને થઈ શકે છે સજા



નૉર્વેની રાજધાની ઑસ્લોમાં રહેતા મૂળ હૈદરાબાદના વતની વી. ચંદ્રશેખર અને તેમનાં પત્ની અનુપમા સામે તેમના સાત વર્ષના દીકરાને વારંવાર ધમકાવવાનો આરોપ છે. ફરિયાદી પક્ષનો આરોપ છે કે પૅન્ટમાં પેશાબ કરવા બદલ માતા-પિતા તેમના દીકરાને ધમકાવતાં હતાં. ભારતીય પતિ-પત્ની વતન જતાં ન રહે એ માટે ઑસ્લોની પોલીસે તેમની ધરપકડ કરી હતી. નૉર્વેસ્થિત ભારતીય દૂતાવાસે તેમને મદદની ઑફર પણ કરી છે. આ કેસમાં ઑસ્લોની ડિસ્ટ્રિક્ટ કોર્ટ સોમવારે ચુકાદો આપશે. સાત વર્ષના બાળકે મમ્મી-પપ્પા ધમકાવતાં હોવાની ફરિયાદ પોતાના સ્કૂલ ટીચરને કરતાં આખી ઘટના બહાર આવી હતી. ભારતના વિદેશપ્રધાન સલમાન ખુરશીદે આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી.