26 February, 2012 04:35 AM IST |
જોકે આ વરણીથી નાખુશ થયેલાં કેટલાંક વિરોધી તત્વોએ હેદરામોત શહેરમાં વિસ્ફોટકો ભરેલી કાર વડે બૉમ્બબ્લાસ્ટ કરતાં એમાં ૨૬ લોકોનાં મૃત્યુ થયાં હોવાનું જાણવા મળ્યું છે. આ વિસ્ફોટ જ્યાં શપથવિધિ યોજવામાં આવી હતી એ પ્રેસિડેન્શિયલ પૅલેસ પાસે જ કરવામાં આવ્યો હતો.
અબ્દરાબુહ મન્સૂર હદી એ ચૂંટણીમાં સરમુખત્યાર અલી અબદુલ્લાહ સાલેહ સામે ઊભા રહેલા એકમાત્ર ઉમેદવાર હતા અને ચૂંટણીમાં ૬૦ ટકા મતદાન પછી તેમની નવા પ્રેસિડન્ટ તરીકે વરણી કરવામાં આવી હતી. સરમુખત્યાર અલી અબદુલ્લાહ સાલેહ વિરુદ્ધ એક વર્ષથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં હોવાને કારણે તેમને આખરે સત્તા છોડવાની ફરજ પડી હતી.