28 October, 2014 05:38 AM IST |
રશ્મિન શાહ
પહેલી સપ્ટેમ્બરે વજુભાઈએ ગવર્નરના પદનો ચાર્જ સંભાળ્યો એટલે દિવસના હિસાબે કહી શકાય કે વજુભાઈને માંડ હજી તો સાઠ દિવસ થયા છે, પણ આ સાઠ દિવસમાં વજુભાઈ ઓછામાં ઓછા ચાલીસ વખત રાજકોટ આવી ગયા છે. ચાલીસમાંથી સત્તર વખત વજુભાઈ બે-ચાર કલાક માટે આવ્યા હતા તો ચૌદ વખત વજુભાઈ સવારથી સાંજ માટે રાજકોટ આવ્યા હતા જ્યારે નવ દિવસ તે રાજકોટમાં રાતવાસો કરી ગયા. કર્ણાટક ગમતું નથી એવું કહેવાને બદલે વજુભાઈ એવું કહે છે કે ‘સાલ્લું કાઠિયાવાડ ન્યાં ભુલાતું નથી, કૉફી ને સૅન્ડવિચું ખાધા કરવાની. ગાંઠિયા અને ચા તો ક્યાંય દેખાય નહીં. એવું થોડું ચાલે.’મજાની વાત એ છે કે વજુભાઈને કર્ણાટકની ચા બનાવવાની રીત પણ પસંદ નથી આવી એટલે આટલા વર્ષે હવે તે બૅન્ગલોરના ગવર્નર હાઉસમાં જાતે ચા બનાવે છે.