06 January, 2021 03:43 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent
કાકુ મહારાજ
દુનિયાભરના પ્રવાસીઓનું દુબઈ માનીતું શહેર બન્યું એ પહેલાં વેપાર માટે દેશ-વિદેશમાં જતા ગુજરાતીઓને પોતાના સ્વાદિષ્ટ ભોજનથી તૃપ્ત કરનારા કાકુ મહારાજ તરીકે જાણીતા મુરલીધર પરમાનંદ જોષીનું ચોથી જાન્યુઆરીના રોજ ૮૨ વર્ષની વયે નિધન થયું હતું. વર્ષો પહેલાં તેમણે બુર દુબઈમાં જોષી રેસ્ટોરા ઍન્ડ કૅફે શરૂ કર્યું હતું. એ વખતે ભારતીય ભોજન પીરસતું દુબઈમાં તેમનું આ એકમાત્ર રેસ્ટોરા હતું. ૨૦૧૮માં આ રેસ્ટોરાને ૫૦ વર્ષ પૂરાં થયાં હતાં.