દાઉદ કરાચીમાં નથી: છોટા શકીલ

27 August, 2020 03:07 PM IST  |  New Delhi | Agencies

દાઉદ કરાચીમાં નથી: છોટા શકીલ

દાઉદ ઇબ્રાહિમ

ભારતનો અન્ડરવર્લ્ડ ડૉન અને આતંકવાદી કેસોનો આરોપી દાઉદ ઇબ્રાહિમ કરાચીમાં હોવાના સમાચારોને એના સાથી ગૅન્ગ્સ્ટર છોટા શકીલે રદિયો આપ્યો હતો. 1993માં મુંબઈમાં કરવામાં આવેલા શ્રેણીબધ્ધ વિસ્ફોટોના કેસમાં દાઉદ ઇબ્રાહિમની જોડે છોટા શકીલ પણ મુખ્ય આરોપી છે. એક ટીવી ન્યુઝ ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં છોટા શકીલે દાઉદ કરાચીમાં રહેતો હોવાના ભારતના પ્રસાર માધ્યમોમાં પ્રસારિત કરાતા સમાચારોને રદિયો આપ્યો હતો. છોટા શકીલે જણાવ્યું હતું કે ‘અમે કરાચીમાં રહેતા નથી. પાકિસ્તાન સહિત વિશ્વની કોઈપણ સરકારને જવાબ આપવા અમે બંધાયેલા નથી. તમે બધા જવાબ આપવા માટે બંધાયેલા છો.’

national news karachi pakistan international news