13 December, 2011 09:13 AM IST |
ભારતમાં અને વૈશ્વિક સ્તરે વિધવાઓની સ્થિતિ વિશે મંતવ્ય આપતાં વૃંદાવનના વિધવાઓ માટેના બાલાજી આશ્રમની મુલાકાત બાદ ચેરી બ્લેરે કહ્યું હતું કે ‘ભારતમાં વિધવાઓની સ્થિતિ સુધારવા માટે જે પગલાં લેવામાં આવી રહ્યાં છે એ પૂરતાં નથી. હાલમાં વૈશ્વિક સ્તરે ૨૫ કરોડ કરતાં વધુ વિધવાઓ અને તેમનાં ૫૦ કરોડ જેટલાં બાળકો કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. ભારતમાં મોટા ભાગની વિધવાઓ અપૂરતી તબીબી સુવિધાઓ અને સામાજિક સુરક્ષા વગર દયાજનક પરિસ્થિતિમાં જીવે છે.’