રમઝાનમાં જ પાકિસ્તાનમાં દરગાહની બહાર બ્લાસ્ટ, 3 પોલીસ જવાનો શહીદ

08 May, 2019 10:50 AM IST  |  લાહૌર

રમઝાનમાં જ પાકિસ્તાનમાં દરગાહની બહાર બ્લાસ્ટ, 3 પોલીસ જવાનો શહીદ

પાકિસ્તાનમાં દરગાહની બહાર બ્લાસ્ટ

લાહોરમાં દાતા દરબાર સુફી દરગાહની બાજુમાં વિસ્ફોટ થયો છે. જેમાં ત્રણ પોલીસ જવાનો શહીદ થયા છે. જ્યારે 18થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આંકડો વધવાની સંભાવના છે.


અસોસિયેટ પ્રેસના અહેવાલ અનુસાર, બોમ્બ દરગાહ પાસેના સુરક્ષા દળોને નિશાન બનાવીને ફેંકવામાં આવ્યો હતો. જ્યાં બ્લાસ્ટ કરવામાં આવ્યો તે દાતા દરબારની દરગાહ સાઉથ એશિયાની મોટી દરગાહમાંથી એક છે.

pakistan