ઈસ્ટર પર શ્રીલંકામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 156નાં મોત, 200થી વધુ ઘાયલ

21 April, 2019 01:51 PM IST  |  કોલંબો

ઈસ્ટર પર શ્રીલંકામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 156નાં મોત, 200થી વધુ ઘાયલ

શ્રીલંકામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ

ઈસ્ટરના મોકા પર શ્રીલંકાની રાજધાની કોલંબોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા છે. આ દરમિયાન 3 ચર્ચને નિશાન બનાવવામાં આવ્યા. ખ્રિસ્તીઓને નિશાન બનાવીને ચર્ચમાં થયેલા આ વિસ્ફોટમાં 156થી વધુ લોકોના મોત થયા છે. કોલંબો નેશનલ હૉસ્પિટલે કહ્યું કે વિસ્ફોટ બાદ અનેક લોકોનો હૉસ્પિલમાં ઈલાજ કરવામાં આવી રહ્યો છે.


ભારતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર
ઈન્ડિયન હાઈ કમિશને હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. વિદેશમંત્રી સુષમા સ્વરાજે કહ્યું કે તેઓ સતત ભારતીય હાઈ કમિશ્નરના સંપર્કમાં છે. અને તેઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

3 ચર્ચ, 3 હોટેલમાં વિસ્ફોટ
કોલંબો પોલીસના પ્રમાણે 3 ચર્ચ સહિત 3 ફાઈવ સ્ટાર હોટેલને પણ નિશાન બનાવવામાં આવ્યા. પોલીસના પ્રમાણે 8 વાગ્યેને 45 મિનિટે પહેલો વિસ્ફોટ થયો. સતત થયેલા વિસ્ફોટોના કારણે અફરાતફરીનો માહોલ છે. સ્થાનિક પોલીસના પ્રમાણે આ વિસ્ફોટો ત્યારે થયા જ્યારે પ્રાર્થના માટે લોકો ચર્ચમાં એકઠા થયા હતા.

શ્રીલંકામાં સેના તહેનાત
શ્રીલંકામાં વિસ્ફોટો બાદની સ્થિતિને જોતા કોલંબોમાં સેનાની 200 ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. શ્રીલંકાના વડાપ્રધાને ઈમરજન્સી બેઠક બોલાવી છે. સાથે કોલંબોની અન્ય ફાઈવ સ્ટાર હોટેલોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

sri lanka world news