28 October, 2012 04:47 AM IST |
રઘુનંદને માત્ર સાન્વીનું અપહરણ જ નહોતું કર્યું, તેનાં ૬૧ વર્ષનાં દાદીમા સત્યવતીની હત્યા પણ કરી હતી. રઘુનંદને ૫૦ હજાર ડૉલર (આશરે ૨૬ લાખ રૂપિયા)ની માગણી કરતો લેટર મોકલ્યો હતો જેમાં તેણે સાન્વીના પિતાના હુલામણા નામનો ઉલ્લેખ કર્યો હતો જેના આધારે તે પકડાયો હતો. સાન્વીના પિતા વેન્કટ કોન્ડા સિવા પ્રસાદ વેન્નાને તેમના મિત્રો સિવા નામે સંબોધે છે. રઘુનંદને લેટરમાં પણ તેમને સિવા નામે સંબોધન કર્યું હતું જેના આધારે પોલીસ તેના સુધી પહોંચી શકી હતી. સાન્વીના અપહરણે અમેરિકામાં વસતા ભારતીયોમાં ચકચાર જગાવી હતી. અમેરિકી તેલુગુ સમાજે અપહરણકાર વિશે માહિતી આપનાર માટે ૫૦ હજાર ડૉલરનું ઇનામ પણ જાહેર કર્યું હતું.