04 January, 2021 03:29 PM IST | Peshawar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાનના ખૈબર પખ્તુન્વા પ્રાંતમાં એક કટ્ટરપંથી ઇસ્લામી પાર્ટીના સભ્યોની આગેવાની હેઠળ ટોળા દ્વારા હિન્દુ મંદિરની તોડફોડ કરવા બદલ પાકિસ્તાનની પોલીસે વધુ ૪૫ જણની ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા ૧૦૦ કરતાં વધુની થઈ છે. હિન્દુ મંદિરના વિસ્તરણનો વિરોધ કરતાં ટોળા દ્વારા ખૈબર પખ્તુન્વાના કારક જિલ્લામાં તેરી ગામે આવેલા આ મંદિરમાં તોડફોડ કરી તેમાં આગ ચાંપવા બદલ ૩૫૦ જણ સામે એફઆઇઆર નોંધવામાં આવ્યો છે.