28 October, 2014 10:13 AM IST |
લોસ એંજલ્સ,તા.28 ઓકટોબર
ન્યુ યૉર્કસ્થિત સિખ ફૉર જસ્ટિસ અને ૧૯૮૪નાં સિખવિરોધી રમખાણોનો ભોગ બનેલા બે સિખો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના અનુસંધાનમાં લૉસ ઍન્જલસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ આ સમન્સ ઇશ્યુ કર્યા છે. રમખાણનો ભોગ બનેલા બે સિખો પૈકીના એક બાબુસિંહ દુખિયા દિલ્હીના નિવાસી છે, જ્યારે મોહેન્દર સિંહ કૅલિફૉર્નિયામાં રહે છે.
૩૫ પાનાંની ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી એ પછી બચ્ચને લોકોને હિંસા કરવા ઉશ્ર્કેયા હતા. અનેક ભારતીય અગ્રણીઓને માનવાધિકારના ઉલ્લંઘનના મુદ્દે અદાલતમાં ઘસડવાના નિષ્ફળ પ્રયાસ આ સંગઠન ભૂતકાળમાં કરી ચૂક્યું છે.