દુષ્કાળની પરિસ્થિતિમાં કચ્છવાસીઓનો પાણી માટે પોકાર, ૧૭ ડૅમો તળિયાઝાટક

30 April, 2019 08:31 AM IST  |  કચ્છ

દુષ્કાળની પરિસ્થિતિમાં કચ્છવાસીઓનો પાણી માટે પોકાર, ૧૭ ડૅમો તળિયાઝાટક

કચ્છ ઉનાળાની શરૂઆતમાં કચ્છમાં આ વર્ષે પણ પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. સરહદી કચ્છ જિલ્લામાં છેવાડાનાં ગામોમાં પીવાના પાણી માટે વલખાં મારવાં પડે તેવી પરિસ્થિતિનું નર્મિાણ થયું છે. ઉનાળાના પ્રારંભ સાથે જ કચ્છનાં મોટા ભાગનાં જળાશયો તળિયાઝાટક થઈ ચૂક્યાં છે. ખાલીખમ ડૅમોની હાલત જોતાં આગામી દિવસોમાં પાણીની સમસ્યા વિકટ બને તેવું લાગી રહ્યું છે. હાલમાં ૧૭ ડૅમો તળિયાઝાટક થઈ ગયા છે, જ્યારે કે કચ્છના અંજાર તાલુકાના ટપ્પર ડૅમ, રાપર તાલુકાના સુવઈ અને ફતેહગઢ ડૅમ નર્મદાનાં નીરથી ભરવામાં આવી રહ્યા છે. કચ્છ જળાશયો સુકાઈ જતાં આકરો ઉનાળો પાણી વગર કેવી રીતે નીકળશે તેવો સવાલ ઊઠી રહ્યો છે.

આ પણ વાંચોઃ કચ્છમાં ભરઉનાળે મોટા ભાગનાં જળાશયો તળિયાઝાટક, ગ્રામજનો પાણી માટે લાચાર

કચ્છના મોટા ભાગના ડૅમ પાણી સુકાઈ જતાં આ વર્ષ કચ્છના ખેડૂતો અને લોકો તથા પશુધન માટે કપરો કાળ ચાલી રહ્યો છે. કચ્છના મોટા ભાગના ડૅમોમાં થોડાક અંશે પાણીનો જથ્થો બચ્યો છે, જેને પગલે સમગ્ર જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈ માટેના પાણીની વિકટ સ્થિતિ ઊભી થવા ભીતિ સેવાઈ રહી છે. કચ્છમાં મધ્યમ સિંચાઈના ૨૦ ડૅમ છે, જેમાં માત્ર ૩ ડૅમોમાં જ પાણી છે. બાકીના ડૅમો ખાલીખમ થઈ ચૂક્યા છે. હાલ કચ્છના ડૅમોમાં કુલ પાણી ૧૨.૯૦ ટકા જ રહ્યું છે, પરંતુ આકરા ઉનાળામાં કચ્છના ડૅમોમાં માત્ર ૧૬.૬૦ ટકા પાણી બચ્યું છે તો આ પાણી ઉનાળાના અંત સુધી કેમ ચાલશે એ પણ એક સવાલ કચ્છવાસીઓને સતાવી રહ્યો છે.

kutch gujarat news