નરેશભાઈ પટેલના જન્મદિવસે ૫૯ જગ્યાએ બ્લડ ડોનેશન કૅમ્પ

13 July, 2022 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રી ખોડલધામ મંદિરના પ્રણેતા નરેશભાઈ પટેલ વર્ષોથી તેમનો જન્મદિવસ સમાજસેવામાં સમર્પિત કરીને જરૂરિયાતમંદોને ઉપયોગી બનવાની નેમ સાથે ઉજવણી કરે છે.

નરેશભાઈ પટેલના જન્મદિવસે ૫૯ જગ્યાએ બ્લડ ડોનેશન કૅમ્પ

શ્રી ખોડલધામ મંદિરના પ્રણેતા નરેશભાઈ પટેલ વર્ષોથી તેમનો જન્મદિવસ સમાજસેવામાં સમર્પિત કરીને જરૂરિયાતમંદોને ઉપયોગી બનવાની નેમ સાથે ઉજવણી કરે છે. ૧૧ જુલાઈએ ૫૭ વર્ષ પૂરાં કરીને ૫૮મા વર્ષમાં મંગળ પ્રવેશ કરનાર નરેશભાઈ પટેલનો જન્મદિવસ રાજ્યભરમાં ઠેર-ઠેર બ્લડ ડોનેશન કૅમ્પ, વૃક્ષારોપણ, વૃદ્ધો-અનાથ બાળકોને ભોજન, સર્વ રોગ નિદાન કૅમ્પ, દરદીને ફ્રૂટ વિતરણ સહિતનાં સેવાકાર્યો કરીને ઊજવવામાં આવ્યો હતો. નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચૅરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા રાજકોટ સહિત રાજ્યભરમાં કુલ ૫૯ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કૅમ્પ યોજાયો હતો. જેમાં કુલ ૧૦,૫૭૦ યુનિટ બ્લડ એકત્ર થયું હતું.

gujarat news