જાણો તમારું સાપ્તાહિક રાશિભવિષ્ય

03 October, 2021 08:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરેક કાર્ય સમય કરતાં વહેલું પૂરું કરવાની કોશિશ કરશો. આથી કોઈક પ્રવૃત્તિ કરવાનો સમય રહેશે.

ફાઇલ તસવીર

એરિઝ : સવારથી જ આપ સ્‍ફૂર્તિ અને ઉત્‍સાહ અનુભવશો, જેનાથી દરેક કામ કરવામાં ઉત્‍સાહ રહેશે. દરેક કાર્ય સમય કરતાં વહેલું પૂરું કરવાની કોશિશ કરશો. આથી કોઈક પ્રવૃત્તિ કરવાનો સમય રહેશે.
ટૉરસ : હાથ નીચે કામ કરતી વ્‍યક્તિઓ ૫ર પોતાની મરજી લાદવાનો સ્‍વભાવ આપને ઑફિસ કે વ્‍યવસાયમાં અપ્રિય બનાવશે. આના કારણે આપના વ્‍યાવસાયિક સંબંધો બગાડવાનો ૫ણ સંભવ છે.
જેમિની : લાગણીઓનો અતિરેક આપને કોઈ બાબત દિમાગથી નહીં, દિલથી વિચારવા મજબૂર કરશે. ૫રિણામે વિવેકબુદ્ધિ ગુમાવી બેસો એવું બને. દિવસના અંતે જે નિર્ણયો લીધા હશે એનો ૫સ્‍તાવો નહીં હોય.
કેન્સર : આજે આપના સામાજિક દરજ્જામાં વધારો થશે. આપ સફળતા મેળવવા જીવનમાં વધારે પ્રયત્‍ન કરશો. આ સફળતા આપની પ્રતિષ્ઠા ૫ર આધારિત હોવાથી એને જાળવી રાખવા ગણેશજી જણાવે છે.
લિઓ : આજનો દિવસ આપના માટે મહત્ત્વનો હોવાનું ગણેશજી કહે છે. ઑફિસમાં દરેક જણ આપની આવડત સ્‍વીકારશે, એનાં વખાણ કરશે. મોજશોખ પાછળ ખર્ચ કરશો. આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આવશે.
વર્ગો : ગણેશજી કહે છે કે આજે આપ પ્રણયજીવનની શ્રેષ્ઠ ૫ળોનો અનુભવ કરશો. પ્રિયપાત્ર સાથે રોમાંચક ક્ષણો માણશો. દાં૫ત્‍યજીવનમાં મધુરતા છવાયેલી રહેશે. સામાજિક મેળાવડામાં જવાનો પ્રસંગ બને.
લિબ્રા : વિદેશના સુખદ સમાચારોથી આપ આનંદ અનુભવશો. નોકરીની શોધમાં જે વ્‍યક્તિઓ હશે તેઓ આજે સકારાત્‍મકતાની આશા રાખી શકે છે, પરંતુ ગણેશજી વધારે અપેક્ષા ન રાખવાની ચેતવણી આપે છે.
સ્કૉર્પિયો : સંતાનોના આરોગ્‍યની ચિંતા આપને સતાવશે. સંતાનો પાછળ નાણાખર્ચ થાય એવી શક્યતા છે. મંદિર કે ધાર્મિક સ્‍થળની મુલાકાત લેવાનું મન થશે. પિતાથી લાભ થાય. ગણેશજી આપની સાથે છે.
સેજિટેરિયસ : પૈસાની કદર સમજીને આજે આપ ખૂબ સમજીવિચારીને ખર્ચ કરશો. વસ્‍તુઓની ખરીદી કે વેચાણમાંથી નફો મેળવી શકશો. આર્થિક લેવડદેવડ લાભદાયી પુરવાર થઈ શકે છે.
કેપ્રિકોર્ન : કારકિર્દી વિશે નિશ્ચિત હશો. લાંબા ગાળાની યોજના ઘડવા માગતા હો તો એ માટે શુભ દિવસ હોવાનું ગણેશજી જણાવે છે. આપ એ યોજનાને અમલમાં મૂકી શકો છો. દિવસ પ્રગતિકારક છે.
એક્વેરિયસ : આજે વાદવિવાદ અને બિનજરૂરી દલીલોથી દૂર રહેવાની ગણેશજી સલાહ આપે છે. દલીલબાજીમાં ઊતરશો તો કોઈ સાથે દુશ્‍મનાવટ ઊભી થઈ શકે છે. આ બાબત ઘર કે ઑફિસ ગમે ત્‍યાં બની શકે.
પાઇસિસ : ગણેશજી આપને કોઈ મહત્ત્વની પ્રવૃત્તિ આજે શરૂ ન કરવા જણાવે છે, આપના ગ્રહો અનુકૂળ નથી. બીજી તરફ આપ જેમાં સર્જનાત્‍મકતાની જરૂર નથી એવા રોજિંદા કામ સારી રીતે કરી શકશો.

astrology