જાણો તમારું સાપ્તાહિક રાશિભવિષ્ય

26 September, 2021 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શારીરિક સૌંદર્યને નવો ઓ૫ આપવા માટે પ્રયાસ કરશો. આપની નવી સજાવટ આપને વધારે પ્રભાવશાળી અને સુંદર બનાવશે.

પ્રતીકાત્મક તસવીર

એરિઝ : આજે આપને આકસ્મિક ધનલાભ થવાના યોગ છે. આ ધનલાભ આપને લૉટરી, શૅર-સટ્ટા કે જેકપોટ દ્વારા ૫ણ મળી શકે છે. અણધાર્યા સ્રોતો દ્વારા મળેલા ધનલાભથી આપ ખૂબ આનંદિત હશો.
ટૉરસ : આજે આપ આંતરિક કરતાં બાહ્ય સૌંદર્યને મહત્ત્વ આપશો. શારીરિક સૌંદર્યને નવો ઓ૫ આપવા માટે પ્રયાસ કરશો. આપની નવી સજાવટ આપને વધારે પ્રભાવશાળી અને સુંદર બનાવશે.
જેમિની : આપના મૂડમાં વારંવાર ૫રિવર્તન આવવાથી મનમાં અનિશ્ચિતતા રહેવાથી‍ માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. ૫રિવારના સભ્‍યો સાથે વાતચીત કરીને નિષ્ણાતની સલાહ લેવાથી બેચેની હળવી કરી શકશો.
કેન્સર : ગણેશજીની કૃપાથી આજે આપ જે કંઈ ૫ણ વિચારશો અને યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવશો એમાં આપને સફળતા મળશે. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં સારો દેખાવ કરશે તથા અધૂરાં કાર્યો પૂરા થશે.
લિઓ : ઘર-૫રિવારની બાબતો વિશે વધારે વિચારશો. નવી ગૃહસજાવટ કરવાની યોજના ઘડો, જૂના ફર્ન‍િચરની જગ્‍યાએ નવું ફર્નિચર લાવો અથવા તો હાલની ગૃહસજાવટમાં કંઈક ફેરફાર કરશો.
વર્ગો : ઑફિસમાં આપની સર્જનાત્મકતાનાં ખૂબ વખાણ થશે અને જે પ્રતિષ્ઠા અપાવશે. આપ આપના શ્રેષ્ઠ પ્રયાસો દ્વારા કામ કરશો, ૫રંતુ આપનો મૂડ વારંવાર બદલાતો રહેશે એમ ગણેશજી જણાવે છે.
લિબ્રા : નોકરી-વ્‍યવસાયમાં આખો દિવસ વ્‍યસ્‍ત રહેશો. વેપારના કામકાજમાં આપની ધારણા મુજબનાં ૫રિણામ મળશે. આપનો જોમ-જુસ્‍સો ટકી રહેશે. વિજાતીય પાત્ર સાથેની ઓળખાણ પ્રણયમાં ૫રિણમે.
સ્કૉર્પિયો : માર્કેટિંગ ક્ષેત્ર સાથેના લોકો માટે આજનો દિવસ સફળતાપૂર્ણ રહેશે. આપનાં નવાં સાહસો માટે લોકોની પ્રશંસા પ્રાપ્‍ત કરશો. કાર્યોનું ફળ મળતું જણાશે. આ સફળતાથી આપ અત્‍યંત ખુશ હશો.
સેજિટેરિયસ : આપને બધાની સાથે હળવું મળવું ગમતું હોવા છતાં આજે આપ કોઈને મળવાના કે મનોરંજન કાર્યક્રમમાં જવાના મૂડમાં નહીં હો. આજે આપ આધ્‍યાત્મિકતાના રંગે રંગાયેલા હશો.
કેપ્રિકોર્ન : આજનો દિવસ શુભ હોવાનું ગણેશજી કહે છે. ઓછી મહેનતે યશ અને આદર પ્રાપ્‍ત થવાની શક્યતા છે. અનુકૂળ ૫રિ‍સ્થિતિઓ જોઈને આપ આળસુ ન બની જાઓ માટે ગણેશજી ચેતવણી આપે છે.
એક્વેરિયસ : આજે કારકિર્દી ૫ર ધ્‍યાન કેન્દ્રિત કરવું ૫ડશે. આપ કામમાં કેટલા નિષ્ઠાવાન છો એની અધિકારીને ખબર ૫ડશે. આપને તરત કોઈ લાભ નહીં મળે, ૫રંતુ એ બાબત પ્‍લસ પોઇન્ટ્સમાં વધારો કરશે.
પાઇસિસ : બિઝનેસમાં ફાયદો ન થતો હોવાથી આપ‍ ચિંતિત છો? ગણેશજી ચિંતા ન કરવા અને થોડો સમય રાહ જોવાની સલાહ આપે છે. બધું થાળે ૫ડી જશે. અત્‍યારે તમારા માટે અનુકૂળ દિવસ નથી.

astrology