સાપ્તાહિક રાશિભવિષ્ય: વાંચો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

29 March, 2020 06:45 AM IST  |  Mumbai Desk | Ashish Rawal and Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: વાંચો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

રાશિફળ

મેષ : ભાગ્યોદયની તક નવી-નવી જોવા મળી શકે. સામાજિક યશ, પ્રતિષ્ઠા વધતી જણાય. વડીલોનું માર્ગદર્શન ઉપયોગી બની રહે. મંગળવારે મસૂરની દાળ ભિક્ષુકને આપવી તેમ જ ગણેશજીની ઉપાસના કરવાથી શીઘ્ર ધનપ્રાપ્તિના યોગ થઈ શકે.

વૃષભ : રચનાત્મક કાર્યો વધુ થતાં જોવા મળી શકે છે. વેપાર-વ્યવસાયમાં બરકત ન રહે. માનસિક ચિંતા કંઈક અંશે હળવી થઈ શકે. વારસાગત મિલકતમાં પ્રશ્નોનો ઉકેલ સમજૂતીથી આવી શકે છે.

મિથુન : ધર્મ, આધ્યાત્મિક ક્ષેત્રે રૂચિ વધતી જોવા મળી શકે. નવાં-નવાં કાર્યોમાં વિઘ્ન આવી શકે. નવી-નવી સામાજિક જવાબદારીમાં અપયશ મળે. ઘરે શિવજીના નિત્યદર્શન કરવા તેમ જ નવી ઘડિયાળ પહેરવી, જેનાથી ધનપ્રાપ્તિ યોગ પ્રબળ બને.

કર્ક : આગામી સપ્તાહ ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક જોવા મળી શકે છે. કાર્યક્ષેત્રે અટકેલા પ્રશ્નોનો ઉકેલ આવી શકે. ઘરે બેઠા કરેલ નોકરીના કાર્ય અંગે વિશેષ નોંધ લેવાય. નવ ગ્રહના મંત્ર-જાપ કરવાથી શુભ સમાચાર આવી શકે છે.

સિંહ : આપની મહત્વાકાંક્ષા પૂર્ણ થાય. નોકરી-ધંધાના સ્થળે પ્રેમ-પ્રણયના પ્રસંગો બની શકે. છાતીમાં દુખાવો થવાની સંભાવના. નિત્ય ઓમકાર જપ કરવાથી સર્વ પ્રકારે રાહત જણાશે.

કન્યા : કૌટુંબિક સુખ જળવાય અને વિખેરાયેલા સંબંધો ફરીથી તાજા થાય. માંગલિક કાર્યો અટકે તેમ જ પરિશ્રમનું ફળ નિશ્ચિત રીતે મળે. નવસર્જનના વિચારોનું પ્રમાણ વધે. નિત્ય ગાયને ગળી રોટલી ખવડાવવી જેનાથી નાણાકીય પરિસ્થિતિ સુધરશે.

તુલા : મનના મનોરથ સફળ ન થાય. ખાસ કરીને માનસિક વિચારોમાં નકારાત્મક લાગણી વધુ પ્રેરાય. વાતચીતમાં કોઈની સાથે ગેરસમજણ ન વધે તેની તકેદારી રાખો. હાલના સમયમાં તુલસીનાં પાન તોડીને ખાઈ જશો. શુદ્ધ ઘીનો દીપક નિત્ય સવાર-સાંજ કરવાનો રાખશો જેનાથી મહત્ત્વનાં કામ ઉકેલાઈ જશે.

વૃશ્ચિક : બિનજરૂરી બાબતમાં દલીલબાજી ન કરવી. આનંદ-પ્રમોદમાં આગામી સપ્તાહ પસાર થઈ જાય. થોડા સમય માટે મેડિટેશન કરવા માટે સમય કાઢો. પ્રવર્તમાન સમયમાં લક્ષ્મીતૂટ વધે. સોના-ચાંદીની વસ્તુઓ પહેરો, તેનાથી શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

ધન : લાંબાગાળાનાં કાર્યો પૂર્ણ થવાની અંતમાં અટવાશે. મહત્ત્વની ઘર-પરિવારની ગુપ્તતા બહાર આવે. શારીરિક આધિ-વ્યાધિમાં રાહત જણાય. ગુરુવારે સાંઈબાબાના  દર્શન ઘરે અવશ્ય કરો.

મકર : નોકરી-ધંધામાં સતત નિરાશાઓ વધે. વિજાતીય પાત્રો દ્વારા મદદ મળી શકે. લાંબાગાળાની યોજનામાં રોકાણો ફસાઈ જાય. પેઢું, પેટ, પગના સોજાને લગતી તકલીફો વધે. નિત્ય શનિદેવને સરસિયાનો દીવો અવશ્ય કરવો. જેનાથી માનસિક શાંતિ જણાશે.

કુંભ : શારીરિક બીમારીઓ વધવાથી બંધન યોગ બને. આકસ્મિક સરકારી ધનપ્રાપ્તિ થઈ શકે. મહત્ત્વની મહેચ્છાઓ પૂર્ણ ન થાય. ભગવાન રામનું સ્મરણ કરવાથી તમામ સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે.

મીન : વ્યાજ, વટાવ, દલાલીમાં રકમો ફસાઈ જાય. માંગલિક કાર્ય કરવા માટે વારંવાર કોઈને કોઈ વિઘ્નયોગ બને. સગાં-સંબંધીમાં લાંબા સમયના બગડેલા સંબંધો સુધરી શકે. ગુરુ મંત્ર લીધેલ હોય તો નિત્ય મંત્ર-જાપ-ઉપાસના કરશો તો ફળદાયી નીવડશે.

astrology