‘અસુરન’ના ઍક્ટર નીતીશ વીરાનું કોવિડને કારણે થયું નિધન

18 May, 2021 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૪૫ વર્ષનો નીતીશ સારવાર માટે પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ હતો

નીતીશ વીરા

‘અસુરન’ના ઍક્ટર નીતીશ વીરાનું કોવિડને કારણે અવસાન થતાં તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ શોક વ્યક્ત કર્યો છે. ૪૫ વર્ષનો નીતીશ સારવાર માટે પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ હતો. તેણે ‘અસુરન’માં ધનુષ અને ‘કાલા’માં રજનીકાન્ત સાથે કામ કર્યું હતું. નીતીશની ફૅમિલીમાં વાઇફ અને ૭ અને ૮ વર્ષની બે દીકરીઓ છે.

entertainment news Web Series web series