‘સિનેમા મરતે દમ તક’ને કેમ પસંદ કરી હતી અર્જુન કપૂરે?

31 January, 2023 04:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૯૦ના દાયકામાં પલ્પ સિનેમા ખૂબ જ ચાલતું હતું

અર્જુન કપૂર

અર્જુન કપૂરે હાલમાં જ જણાવ્યું છે કે તેણે ‘સિનેમા મરતે દમ તક’ને કેમ પસંદ કરી હતી. આ એક વેબ શો છે જેમાં તેણે નાનકડી ભૂમિકા ભજવી છે. આ શોમાં પલ્પ ફિલ્મમેકર વિશેની વાત કરવામાં આવી છે. ૧૯૯૦ના દાયકામાં પલ્પ સિનેમા ખૂબ જ ચાલતું હતું. આ શોમાં પલ્પ ફિલ્મમેકર્સ દિલીપ ગુલાટી, જે. નીલમ, કિશન શાહ અને વિનોદ તલવાર જેવા લોકો વિશે વાત કરવામાં આવી છે. છ એપિસોડની આ ડૉક્યુ-સિરીઝને વસન બાલા દ્વારા ક્રીએટ કરવામાં આવી છે. આ વિશે વાત કરતાં અર્જુન કપૂરે કહ્યું કે ‘આ સિરીઝમાં મારું પાત્ર કૅમિયો અથવા તો સ્પેશ્યલ અપીરન્સમાં છે. એક એવું પ્લૅટફૉર્મ, જેમાં આ ફિલ્મમેકર્સ તેમના દિલની વાત કહી શકે એને મહત્ત્વ આપવા માટે મેં આ શો માટે હા પાડી હતી. તેમના માટે હું આ શોમાં કામ કરીને ખુશ છું. પ્રાઇમ વિડિયોએ આ પ્રકારના મેકર્સને જે ઇજ્જત મળવી જોઈએ એ આપી છે નહીં કે તેમની મજાક બનાવી છે. આ શોમાં તેમણે પલ્પ ફિલ્મમેકર્સની જર્નીને દેખાડવાની કોશિશ કરી છે. તેઓ તેમની સ્ટોરી કહી શકે એવા શોમાં કામ કરીને હું ખુશ છું.’

Web Series arjun kapoor entertainment news