અલ્ટ બાલાજી બનાવી રહ્યું છે પિરિયડ ડ્રામા સિરીઝ ‘પૌરષપુર’

20 October, 2020 01:41 PM IST  |  Mumbai | Nirali Dave

અલ્ટ બાલાજી બનાવી રહ્યું છે પિરિયડ ડ્રામા સિરીઝ ‘પૌરષપુર’

મિલિંદ સોમણ, શિલ્પા શિંદે, શહીર શેખ

અલ્ટ બાલાજીએ પોતાના સૌપ્રથમ પિરિયડ ડ્રામા શોની જાહેરાત કરી છે. ‘પૌરષપુર’ નામનો આ ફિક્શન શો ગ્રૅન્ડ લેવલે બની રહ્યો છે અને એની સ્ટોરીલાઇન જાણીતી અમેરિકન સિરીઝ ‘ગેમ ઑફ થ્રૉન્સ’ પર આધારિત છે એવું કહેવાય છે. ‘પૌરષપુર’માં રજવાડી કુટુંબો વચ્ચેની સત્તા માટેની લડાઈ દર્શાવાશે. આ શોનું મુખ્ય આકર્ષણ એની કાસ્ટ છે. મિલિંદ સોમણ, શિલ્પા શિંદે, શહીર શેખ, અન્નુ કપૂર, ફ્લોરા સૈની, અનંત જોશી વગેરે આ શો સાથે જોડાયાં છે. તો આગળ જતાં એની એકથી વધુ સીઝન અને નવા કલાકારો પણ જોવા મળશે. સચિન્દ્ર વત્સ આ શોના ડિરેક્ટર છે અને સચિન મોહિતે શોને પ્રોડ્યુસ કરી રહ્યા છે. મુંબઈ બહાર શોનો ભવ્ય સેટ ઊભો કરવામાં આવ્યો છે.

‘પૌરષપુર’નું શૂટિંગ ગયા અઠવાડિયે જ શરૂ થયું છે અને એ ફેબ્રુઆરી ૨૦૨૧માં અલ્ટ બાલાજી અને ઝીફાઇવ પર રિલીઝ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે અલ્ટ બાલાજીએ આ વર્ષની સૌથી મોટી ઍક્શન-થ્રિલર સિરીઝ ‘બૅન્ગ બૅન્ગ’ની જાહેરાત પણ કરી છે અને હવે આ લાર્જર-ધેન-લાઇફ પિરિયડ ડ્રામા શોની જાહેરાતે દર્શકોમાં ઉત્કંઠા પેદા કરી છે.

entertainment news web series alt balaji milind soman shilpa shinde annu kapoor