10 October, 2019 03:02 PM IST | રાજકોટ | રશ્મિન શાહ
‘નાગિન’
હા, આ સાવ સાચું છે અને આવી હિંમત માત્ર એકતા કપૂર જ કરી શકે. બાલાજી ટેલિફિલ્મસની સુપરહિટ થયેલી સિરીઝ ‘નાગિન’ની ચોથી સીઝન હવે આવવાની છે અને એનો પ્રોમો પણ રિલીઝ થઈ ગયો છે, પણ આ પ્રોમો રિલીઝ થાય એ પહેલાં આ ચોથી સીઝનની સ્ટારકાસ્ટ નક્કી નહોતી થઈ અને એ છતાં પણ પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો. આવું જો કરી શકે એમ કોઈ હોય તો એ એકતા કપૂર જ કરી શકે. ચૅનલો સાથેના ઘરોબા અને ચૅનલો પરના પ્રભાવને કારણે આ શક્ય બની શક્યું છે તો સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે એકતા કપૂરે આજ સુધી જે કંઈ ડિલિવર કર્યું છે એ હંમેશાં ઑડિયન્સને પસંદ આવ્યું હોવાથી પણ ચૅનલ એકતા પર આ ભરોસો રાખી શકે છે. સ્ટારકાસ્ટ ફાઇનલ ન થઈ હોય એ પછી પણ પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો હોય એ ઇન્ડિયન ટીવી-ઇન્ડસ્ટ્રીનો રેકૉર્ડ છે, અગાઉ આવું ક્યારેય નથી થયું.
આ પણ વાંચો : સોની રાઝદાન અભિનિત નાટકનું હવે ફિલ્મમાં રૂપાંતર ઝી ફાઇવ પર જોવા મળશે
‘નાગિન’ની ચોથી સીઝનમાં એક નહીં પણ બે ઇચ્છાધારી નાગણની વાત કરવામાં આવવાની છે, જે પ્રોમો પરથી પણ સ્પષ્ટ થાય છે. આ બન્ને ઇચ્છાધારી નાગિનના કૅરૅક્ટર માટે ક્રિસ્ટલ ડિસોઝા અને નિયા શર્મા ઑલમોસ્ટ ફાઇનલ છે.