22 October, 2019 12:10 PM IST | અમદાવાદ
‘કહને કો હમસફર હૈ’
એકતા કપૂર ટેલિવિઝન પર જે રીતે સિરિયલનો ખડકલો કરી દે છે એ રીતે પોતાની ઑનલાઇન સ્ટ્રીમિંગ સાઇટ ‘Alt બાલાજી’ પર પણ તમામ જોનરની વેબ-ફિલ્મો ને સિરિયલોના ઘાણ ઉતારતી રહે છે. ગયા વર્ષે માર્ચમાં જેની પહેલી સીઝનના ૧૫ એપિસોડ બહાર પડ્યા હતા એ ‘કહને કો હમસફર હૈ’ની બીજી સીઝનના ૨૬ એપિસોડ આ વર્ષે ફેબ્રુઆરીમાં આવી પણ ગયા અને અત્યારે એની ત્રીજી સીઝનનું શૂટિંગ ચાલી રહ્યું છે.
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ રોહિત મેહરા (રોનિત રૉય) અને પત્ની પૂનમ (ગુરદીપ કોહલી)ની બે દીકરી બની (પૂજા બૅનરજી) અને નિકી (પલક જૈન) છે. બહારથી સુખી લાગતા આ કુટુંબનું પડદા પાછળનું સત્ય કંઈક જુદું જ છે. રોહિતના જીવનમાં ઇન્ટીરિયર ડિઝાઇનર અનન્યા શર્મા (મોના સિંહ) આવે છે. પરિણીત રોહિત માટે અનન્યા ડર્ટી સીક્રેટ છે જેની જાણ એક દિવસ લોકોને થઈ જાય છે. વાત રોહિત અને પૂનમના ડિવૉર્સ સુધી પહોંચે છે. આ રીતની પ્રણય-ત્રિકોણ તથા પતિ-પત્ની અને પિતા-પુત્રી વચ્ચેના સંબંધોની વાર્તાનો બેઝ લઈને આખી પટકથા ઊભી કરાઈ છે. વાર્તા લખનાર દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તા છે.
આ પણ વાંચો : જાણીતા અભિનેતા શરત સક્સેના 33 વર્ષ બાદ ટીવી પરદે પરત ફર્યા
‘કહને કો હમસફર હૈ’ની ત્રીજી સીઝન અભિજિત દાસ ડિરેક્ટ કરી રહ્યા છે. બીજી સીઝનનો અંત નિર્ણાયક તબક્કામાં આવીને અટકી ગયો હતો એટલે એના ચાહકોની રાહ ટૂંક સમયમાં પૂરી થશે.