12 October, 2020 06:38 PM IST | Mumbai | Rashmin Shah
રાધાકૃષ્ણ
હજી હમણાં સ્ટાર ભારતના શો ‘રાધાકૃષ્ણ’ને બે વર્ષ પૂરાં થયાં અને આ શો હજી પણ લાંબો ચાલવાનો છે, પણ એક હકીકત એ પણ છે કે શોને સમેટવાનું વિચારવામાં આવી રહ્યું હતું પણ લૉકડાઉનમાં ‘રાધાકૃષ્ણ’ને જબરદસ્ત રિસ્પૉન્સ મળતાં શોને કન્ટિન્યુ કરવાનું નક્કી કરવામાં આવ્યું. સ્ટાર ભારત જ્યારે પૂરું કલેવર બદલતું હતું ત્યારે ‘રાધાકૃષ્ણ’ જેવા માઇથોલૉજિકલ શોને કન્ટિન્યુ નહીં કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પણ કોવિડ-19ને લીધે લૉકડાઉન આવ્યું, જેમાં શો અગાઉ ન જોવાયો હોય એવો જોવાયો અને ટીઆરપીની રેસમાં પણ શો ખૂબ આગળ રહ્યો. પરિણામે ચૅનલે નક્કી કર્યું કે ‘રાધાકૃષ્ણ’ને આગળ વધારવો. ‘રાધાકૃષ્ણ’માં કૃષ્ણનું કૅરૅક્ટર કરતા સુમેધ મુદગલકરે કહ્યું હતું, ‘આ શોએ મનને જેટલી શાંતિ આપી છે એવી શાંતિ અગાઉ ક્યારેય મળી નથી.’