જાણીતા અભિનેતા શરત સક્સેના 33 વર્ષ બાદ ટીવી પરદે પરત ફર્યા

21 October, 2019 09:30 PM IST  |  Mumbai

જાણીતા અભિનેતા શરત સક્સેના 33 વર્ષ બાદ ટીવી પરદે પરત ફર્યા

અભિનેતા શરત સક્સેના

Mumbai : ટીવી લોકપ્રિય માયથોલોજીકલ સિરિયલ રાધાકૃષ્ણમાં ઓડિયન્સને ઘણા નવા ધમાકા જોવા મળી રહ્યા છે. હવે દર્શકોને એક નવી એન્ટ્રી જોવા મળશે. બોલિવૂડના એક્ટર શરત સક્સેના આ રોલ અદા કરવાના છે. શરત સક્સેનાએ બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં અમિતાભ બચ્ચનની અગ્નિપથ’, ‘બાગબાનઅને સૈફ અલી ખાનની એજન્ટ વિનોદ’, ‘રેસ 3’, ‘ફિર હેરા ફેરી’, ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાનજેવી ઘણી મોટી ફિલ્મોના નામ સામેલ છે. આ સિવાય તેમણે મલયાલમ, તમિળ અને તેલુગુ ફિલ્મોમાં પણ પોતાના અભિનયનો પરચમ ફેલાવ્યો છે.

આ પણ જુઓ : 90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...

શરત સક્સેનાએ 1988માં ચર્ચિત ટીવી શો મહાભારતમાં કામ કર્યું હતું ત્યાર બાદ 33 વર્ષ બાદ તેઓ સ્ટાર ભારતના શો રાધાકૃષ્ણમાં મહત્ત્વના રોલમાં જોવા મળશે. શોના એક ઈમ્પોર્ટન્ટ ટ્રેક માટે આ એન્ટ્રી થવાની છે. આ રોલની કાસ્ટિંગમાં ઘણા મોટા નામ સામેલ હતા જેમાં શરત સક્સેનાને ફાઇનલ કરવામાં આવ્યા છે. તેઓ શોમાં પ્રલંભાસુરના રોલમાં જોવા મળશે જે કૃષ્ણના જીવનમાં નવી બાધા ઉત્પ્ન્ન કરશે.

film and television institute of india indian television