અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 46 વર્ષની વયે અવસાન, જિમમાં આવ્યો હાર્ટ એટેક

11 November, 2022 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક મોડેલ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કર્યા બાદ સિદ્ધાંત વીર સૂર્યવંશીએ કુસુમ સાથે તેના અભિનયની શરૂઆત કરી

તસવીર સૌજન્ય: સિદ્ધાંત સૂર્યવંશીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

કુસુમ, વારિસ અને સૂર્યપુત્ર કર્ણ જેવી ટીવી સિરિયલમાં તેની ભૂમિકાઓ માટે જાણીતા અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશી (Siddhant Vir Suryavanshi)નું શુક્રવારે 46 વર્ષની વયે અવસાન થયું હતું. અભિનેતા જિમમાં વર્કઆઉટ કરતી વખતે પડી ગયો હતો. તેમના પરિવારમાં પત્ની, સુપર મોડલ એલેસિયા રાઉત અને તેમના બે બાળકો છે.

જય ભાનુશાલીએ ઈન્સ્ટાગ્રામ પર અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે સિદ્ધાંતનો એક ફોટો પોસ્ટ કરી આ સમાચાર આપ્યા. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા, જયે શેર કર્યું કે તેને મિત્રો દ્વારા સિદ્ધાંત વીર સૂર્યવંશીના અવસાન વિશે જાણ કરવામાં આવી હતી. તેણે એ વાતની પણ પુષ્ટિ કરી કે સિદ્ધાંત જીમમાં પડી ગયો હતો બાદમાં તેનું મૃત્યુ થયું હતું.

એક મોડેલ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કર્યા બાદ સિદ્ધાંત વીર સૂર્યવંશીએ કુસુમ સાથે તેના અભિનયની શરૂઆત કરી. તેણે ઘણા શોમાં મુખ્ય પાત્રો પણ ભજવ્યા છે. તે કસૌટી ઝિંદગી કી, કૃષ્ણ અર્જુન, ક્યા દિલ મેં હૈ જેવા શોમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. તેના છેલ્લા પ્રોજેક્ટ્સમાં ટીવી શો ક્યૂં રિશ્તો મેં કટ્ટી બટ્ટી અને ઝિદ્દી દિલ સામેલ છે.

સિદ્ધાંતે અગાઉ ઇરા સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2015માં છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ તેણે 2017માં એલેસિયા સાથે લગ્ન કર્યા હતા. તેને તેના પહેલા લગ્નથી એક પુત્રી હતી, જ્યારે એલેસિયાને તેના અગાઉના લગ્નથી એક પુત્ર હતો.

આ પણ વાંચો: કાશી પહોંચ્યાં હપ્પુ સિંહ અને રાજેશ

entertainment news television news